Sunday, October 27, 2024
HomeGujaratમોરબી:માથામાં દુખાવો અને ઉલટી બાદ સારવારમાં રહેલા ૫૯ વર્ષીય પ્રૌઢનું મૃત્યુ

મોરબી:માથામાં દુખાવો અને ઉલટી બાદ સારવારમાં રહેલા ૫૯ વર્ષીય પ્રૌઢનું મૃત્યુ

મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ તુલસીપત્ર-૧ એપાર્ટમેન્ટના રૂમ નં.૧૦૧માં રહેતા પ્રાણજીવનભાઇ લાલજીભાઇ સરડવા ઉવ.૫૯ નામના પ્રૌઢ ગઈકાલે તા.૨૬/૧૦ના રોજ પોતાના ઘરે હોય ત્યારે માથામાં દુખાવો તથા ઉલ્ટી થવા લાગતા પરિવારજનો દ્વારા તેઓને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા, જ્યાંથી વધુ સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલ લઇ જતા હોય ત્યારે રસ્તામાં થોડે આગળ જતા પ્રાણજીવનભાઈ કંઇ બોલતા ન હોય કે હલન ચલન કરતા ન હોય જેથી ત્યાંથી પરત મોરબી સરકારી હોસ્પિટલમાં સારવારમાં લાવતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને પ્રાણજીવનભાઈને મરણ ગયેલ જાહેર કરતા પોલીસે મૃત્યુના આ બનાવ અંગેની નોંધ કરી તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!