મોરબી પોલીસ દ્વારા મોરબી જીલ્લામાં તા.૦૯/૦૭/૨૦૨૫ થી તા.૧૦/૦૭/૨૦૨૫ સુધી અંડર-એજ ડ્રાઇવીંગ કરનારા સગીર વયના બાળકોને તથા સ્કુલ વાન ચાલકો સામે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાન ચાલકો વિરૂધ્ધ સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં કુલ 389 સ્કુલ વાન ચેક કરી પોલીસ દ્વારા સ્કુલ વાહનો ડીટેશન સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લામાં વિદ્યાર્થીઓને શાળાએ લઇ જતી સ્કૂલવાન દ્વારા ટ્રાફિક અને આર.ટી.ઓ.ના નિયમોનું ઉલ્લઘન કરી વિદ્યાર્થીઓને ઠાંસીઠાંસીને ભરવામાં આવે છે જે ટ્રાન્સપોર્ટેશન ખુબજ જોખમી પ્રકારે થતુ હોવાનું તેમજ તેને કારણે ઘણા બધા જીવલેણ ગંભીર અકસ્માતો થવાની શક્યતા હોય તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા “સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ”નું મોરબી જીલ્લામાં તા.૦૯/૦૭/૨૦૨૫ થી તા.૧૦/૦૭/૨૦૨૫ માટે ‘અંડર-એજ ડ્રાઇવીંગ કરતા સગીર વયના બાળકો તથા સ્કુલ વાન ઉપર “સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લામાં ચાલતા સ્કુલ વાહનો જેમાં પ્રાઇવેટ પાર્સિંગ/પરમીટ/ફિટનેસ ટેસ્ટ સર્ટીફિકેટ/ફર્સ્ટ એઇડ કીટ/ફાયર એક્સટિંગ્વિશર/લાયસન્સની ચકાસણી કરવા અને ટ્રાફિક નિયમો તથા આર.ટી.ઓ.ના નિયમોનું ઉલ્લઘન કરતા સ્કુલ વાન વિરુધ્ધ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા અને અંડર-એજ ડ્રાઇવીંગ કરનારા સગીર વયના બાળકોને મોટર વાહનનો માલીક કે તેનો ચાર્જ ધરાવનાર વિરૂધ્ધ કાર્યવાહી આ ડ્રાઇવ દરમ્યાન જુદા જુદા પોઇન્ટ ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેમાં કુલ-389 સ્કુલ વાન ચેક કરી ટ્રાફિક નિયોમનુ ભંગ કરતા 55 વાહન ચાલકોને સ્કુલ વાહન સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવી હતી. તેમજ ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો પાસે રૂ. 26,000નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જ્યારે એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ કુલ 04 સ્કુલ વાહનો ડીટેશન કરવામાં આવ્યા હતા. અને અંડર-એજ ડ્રાઇવીંગ કરનારા સગીર વયના બાળકોના વાલી ઉપર કુલ 07 કેશો કરવામાં આવ્યા હતા. તેમજ સ્કુલ વાન ચાલકોના ડ્રાઇવરોને ટ્રાફિક નિયમો તથા આર.ટી.ઓ.ના નિયમો પાલન કરવા અવેરનેશ કાર્યક્રમ કરી જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. શાળા સંચાલકોને પણ રોડ સેફટી બાબતે પ્રાદેશીક વાહન વ્યવહાર કમિશનર તરફથી તથા જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી આપવામાં આવેલ સુચના તથા પરીપત્રનુ પાલન કરવા સમજ કરવામાં આવી હતી.