Tuesday, October 7, 2025
HomeGujaratમોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા ન્યુ પેલેસ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ

મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા ન્યુ પેલેસ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ

મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા ન્યુ પેલેસ ખાતે પરંપરાગત રીતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૪ થી ૨૬ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ ત્રણ દિવસીય મહોત્સવનો આજ રોજ શુભ પ્રારંભ થયો છે, જેમાં બહોળી સંખ્યામાં સમાજની બહેનો અને દીકરીઓ પરંપરાગત વસ્ત્રોમાં રાસ-ગરબા લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે આયોજિત થતા નવરાત્રી મહોત્સવનું આ વર્ષે પણ ભવ્ય આયોજન ન્યુ પેલેસ ખાતે કરવામાં આવ્યું છે. તા. ૨૪ થી ૨૬ સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ રાત્રે ૮ વાગ્યાથી રાસ-ગરબા શરૂ થશે. ત્યારે તા. ૨૪ સપ્ટેમ્બરે મહોત્સવનો જાજરમાન પ્રારંભ થયો છે. મોરબી જીલ્લા રાજપૂત સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, સમાજની માતા-બહેનો અને દીકરીઓ પરંપરા તથા સંસ્કૃતિ મુજબ આનંદપૂર્વક રાસ-ગરબામાં જોડાઈ શકે તે માટે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબીના રાણીસાહેબ વિજયકુંવરબા ઓફ મોરબી તરફથી વિશેષ સાથ-સહકાર પ્રાપ્ત થયો છે. સ્થળ પર મોટી સંખ્યામાં સમાજની બહેનો પરંપરાગત રજવાડી પોશાકમાં ઉપસ્થિત રહી મહોત્સવને શોભાયમાન બનાવ્યો છે.

આ રાસોત્સવના સફળ આયોજન માટે મહામંત્રી મહાવીરસિંહ એન. જાડેજા, પ્રમુખ દશરથસિંહ ઝાલા, ઉપપ્રમુખ મહાવીરસિંહ ચાંદલી તથા સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી છે. સાથે જ રાજમાતાશ્રી વિજયકુંવરબા તથા જીલ્લા રાજપૂત સમાજ તરફથી વિવિધ પુરસ્કારો પણ અર્પણ કરવામાં આવશે તેમ યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!