મોરબી તાલુકાના ઘુટુ ગામ રહેતા હસમુખભાઈ જયંતીભાઈ સોલંકી ઉવ.૩૭ ગઈકાલ તા.૧૨/૦૬ ના રોજ તળાવીયા સનાળા બાયપાસ પાસે બ્રીજનુ કામ ચાલે છે ત્યા ટ્રક ચલાવી જતા હતા ત્યારે ટ્રકના પાછળના ભાગે વિજળીનો તાર અડી જતા હસમુખભાઈને જોરદાર ઇલેકટ્રીક શોક લાગ્યો હતો, ત્યારે હસમુખભાઈને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી હસમુખભાઈને મૃત જાહેર કર્યા હતા, હાલ તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.