Wednesday, October 23, 2024
HomeGujaratમોરબી : નવાગામ (લગધીરનગર) ગામે જુની અદાવતનો ખાર રાખી પાંચ શખ્સોએ યુવાનને...

મોરબી : નવાગામ (લગધીરનગર) ગામે જુની અદાવતનો ખાર રાખી પાંચ શખ્સોએ યુવાનને માર માર્યો, ફરિયાદ નોંધાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવાગામ (લગધીરનગર) ગામે રહેતા મુકેશભાઈ પરસોતમભાઈ ડૂબાણીયા (ઉં.વ.૩૭) એ આરોપી સંજયભાઈ ગગજીભાઇ, ભુપતભાઈ લાભુભાઈ, કરણભાઈ ભુપતભાઈ, કિશનભાઈ ભૂપતભાઈ અને અશોકભાઈ નાથાભાઈ રહે-તમામ નવાગામ (લગધીરનગર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા.૧૫નાં રોજ આરોપીઓએ જુની અદાવતનો ખાર રાખી ફરિયાદી મુકેશભાઈને લાકડાના ધોકાઓ વડે શરીરે મુંઢ માર મારી અને કુહાડી વડે માથાના ભાગે ઈજા કરી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!