મુળ ગામ સગાળીયા હાલ મોરબી (ચભાડીયા કુટુંબ)ના નિવૃત DySP સ્વ. હિંમતસિંહજી અમરસિંહજી જાડેજાના સ્મરણાર્થે, તેમના પૌત્ર ડૉ. સત્યજીતસિંહજી કૃષ્ણસિંહજી જાડેજા દ્વારા પ્રેરિત અને તેમના પુત્ર જયવંતસિંહજી જાડેજા દ્વારા વિના મૂલ્યે સર્વજ્ઞાતિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજપૂત ડૉકટર્સ એસોસિએશન તેમજ મોરબી રાજ પરિવારના સહયોગ થી ‘નિઃશુલ્ક સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ’ નું મોરબીના ઝૂલતા પુલ પાસે એલ. ઇ.કોલેજ રોડ મયુર હોસ્પિટલ ખાતે તા. ૨૨/૦૬/૨૦૨૫ ને રવિવારે સવારે ૯ થી ૧ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે.
નિવૃત DySP સ્વ. હિંમતસિંહજી અમરસિંહજી જાડેજાના સ્મરણાર્થે, તેમના પૌત્ર ડૉ. સત્યજીતસિંહજી કૃષ્ણસિંહજી જાડેજા દ્વારા પ્રેરિત અને તેમના પુત્ર જયવંતસિંહજી જાડેજા દ્વારા વિના મૂલ્યે સર્વજ્ઞાતિ સર્વરોગ નિદાન કેમ્પનું તા. ૨૨/૦૬/૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧ વાગ્યા સુધી મોરબીના સામા કાંઠે સ્વામિનારાયણ મંદિર સામે ઝૂલતા પુલ પાસે એલ.ઇ. કોલેજ રોડ મયુર હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જે કેમ્પમાં ઉદઘાટક તરીકે રાજ્યસભાના સાંસદ મહારાણા રાજસાહેબ કેસરીદેવસિંહજી ઝાલા ઓફ વાંકાનેર ઉપસ્થિત રહેશે. મોરબી શહેર અને જિલ્લામાં વસતા સર્વ સમાજ, જાહેર જનતાના લાભાર્થે નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર મલ્ટી-સ્પેશ્યાલીટી તેમજ સુપર સ્પેશ્યાલીટી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે કેમ્પમાં ગુજરાતના ખ્યાતનામ ડૉ. દિગ્વિજયસિંહજી જાડેજા (MD Medicine, EDIC), ડૉ. સત્યજીતસિંહજી જાડેજા (MD Medicine), બીપી, ડાયાબીટીસ, થાયરોઈડના રોગો, બધાજ પ્રકારના ઇન્ફેકશન તેમજ અતિ ગંભીર રોગોના નિષ્ણાંત, ડૉ. ધૃવકુમારસિંહજી જાડેજા (DNB Cardiology) હૃદય રોગોના નિષ્ણાંત, ડૉ. રૂદ્રસિંહજી ઝાલા (MS Surgeon), ડૉ. ધર્મેન્દ્રસિંહજી ગોહિલ (MS Surgeon), ડૉ. દિવ્યરાજસિંહજી ઝાલા (DNB Surgeon) સારણ ગાંઠ, હરસ-મસા, ભગંદર, અપેન્ડીક્ષ, પિતાશયને લગતા રોગોના નિષ્ણાંત, ડૉ. હરદીપસિંહજી જાડેજા (MD Pedia.) બાળકોના રોગોના નિષ્ણાંત, ડૉ. હાર્દિકસિંહજી જાડેજા (MS Ophthal.) આંખના રોગોના નિષ્ણાંત, ડૉ. હિમાદ્રીબા જાડેજા (MDS), ડૉ. અંજનાબા ઝાલા (BDS) દાંતના રોગોના નિષ્ણાંત, ડૉ. જીગરસિંહજી જાડેજા (Mch Neurosurgery), ડૉ. જયપાલસિંહજી ગોહિલ (Mch Neurosurgery) મગજ, મણકા તેમજ કરોડરજ્જુ ના રોગોના નિષ્ણાંત, ડૉ. પાર્થરાજસિંહજી જાડેજા (DNB Urosurgery) કિડની, પથરી અને પ્રોસ્ટેટને લગતા રોગોના નિષ્ણાંત, ડૉ. રાજવીરસિંહજી સોઢા (MS Ortho.), ડૉ. યોગદિપસિંહજી જાડેજા (MS Ortho.) હાડકાના રોગોના નિષ્ણાંત, ડૉ. યશરાજસિંહજી ઝાલા (MD Dermatology), ડૉ. પ્રદિપસિંહજી પરમાર (MD Dermatology) ચામડીના રોગોના નિષ્ણાંત, ડૉ. ચૈતન્ય સિંહગોહિલ (MD Anaeshthesia, FIPM), ડૉ. ચેતનાબા જાડેજા (MD Anaeshthesia, FIPM) લાંબા સમયના દુઃખાવાના નિષ્ણાંત, ડૉ. હિતીક્ષાબા જાડેજા (MBBS), ડૉ. અભયરાજસિંહજી ઝાલા (MBBS), ડૉ. સત્યજીતસિંહજી રાણા (MBBS) સહયોગી MBBS ડૉકટરઓની ટીમ જુદા-જુદા રોગો માટે નિદાન-સારવાર કરશે. જેનો લાભ લેવા મોરબી જિલ્લાની જાહેર જનતા ને અપીલ કરવામાં આવી છે. જેમાં માનવંતા મહેમાનો તરીકે વિનોદભાઈ ચાવડા (સાંસદ કચ્છ-મોરબી), કે.બી. ઝવેરી – IAS (કલેક્ટર, મોરબી), આઈ.કે. જાડેજા (પૂર્વ કેબીનેટ મંત્રી, ગુજરાત સરકાર), જયંતિભાઈ કવાડીયા (પૂર્વ મંત્રીશ્રી, ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ-ભાજપ), દિગ્વીજયસિંહજી ડી. જાડેજા – IAS,જયંતીભાઈ રાજકોટીયા (અધ્યક્ષ, મોરબી જિલ્લા ભાજપ) (મિશન ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ બાર્યટિકનોલોજી મિશન), કાંતિલાલભાઈ અમૃતિયા (ધારાસભ્ય, મોરબી-માળીયા), રાહુલ ત્રીપાઠી – IPS (પોલીસ અધિક્ષક, મોરબી), દુર્લભજીભાઈ દેથરીયા (ધારાસભ્ય, ટેકારા-પડધરી) તેમજ અતિથિ વિશેષ તરીકે ડૉ. જયેન્દ્રસિંહજી જાડેજા (મેનેજીંગ ટ્રસ્ટી, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ), કનકસિંહજી રાણા (ડાયરેક્ટર, GTPL), જયુભા જાડેજા (જયદિપ & કું.), નરેનદ્રસિંહજી ઝાલા (મહામંત્રી, મોરબી જિલ્લા ભાજપ) ડૉ. પ્રદીપભાઈ દુધરેજીયા (મેડીકલ સુપ્રીટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ-મોરબી), ડૉ. રાજદિપસિંહજી ચૌહાણ (ડાયરેક્ટર, આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ), પ્રમોદસિંહજી રાણા (સાર્થક વિદ્યામંદિર – મોરબી), દશરથસિંહજી ઝાલા (પ્રમુખ, મોરબી રાજપૂત સમાજ) ખાસ ઉપસ્થિત રહેશે. જે કેમ્પના દાતા તરીકે અભિજિતસિંહજી જસવંતસિંહજી જાડેજા ( વોડાફોન સ્ટોર મોરબી ) છે. જે મેડિકલ કેમ્પનું આયોજન મોરબીના મહારાણી વિજયકુંવરબા સાહેબ અને રાજવી પરિવારનાં સહયોગથી તેમના ચેરીટેબલ ટ્રસ્ટ મયુર ફાઉન્ડેશન સંચાલિત ‘મયુર હોસ્પિટલ’ માં કરવામાં આવ્યું છે. દર્દીઓએ જુના કાગળો ફાઈલ સાથે લાવવાના રહેશે. જે ભવ્ય કેમ્પનો લાભ દર્દીઓ બહોળી સંખ્યામાં લઇ શકે તે માટે આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અનુરોધ કરાયો છે. જે કેમ્પમાં બ્લડ પ્રેશર (BP), ઓક્સિજન (SPO.), ડાયાબિટીસ (સુગરની તપાસ) કાર્ડિયોગ્રામ – ECG (ડૉકટરની સલાહ મુજબ) રીપોર્ટ પણ તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવશે. જે માટે દર્દીનું રજીસ્ટર કરવા માટે જયવંતસિંહજી એચ. જાડેજા મો. ૯૭૨૭૨ ૭૭૭૭૭, નીરુભા બી ઝાલા મોબાઇલ નં. ૯૭૨૫૮ ૫૫૭૭૭ અને મહેન્દ્રસિંહજી ડી. ઝાલા મોબાઇલ નં. ૯૮૨૫૨ ૨૨૭૮૭ પર સંપર્ક કરવા જણાવ્યું છે