મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમનું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમમાં મોરબી જલારામ ધામની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ દ્વારા હરહંમેશ સેવાકીય તેમજ સામાજીક પ્રવૃતિઓમાં સહયોગ અર્પણ કરવામાં આવે છે ત્યારે “જોવા જેવી દુનિયા” કાર્યક્રમમાં મોરબી જલારામ ધામના જયંતભાઈ રાઘુરા, પંકજભાઈ ચંડીભમર, ચિરાગભાઈ રાચ્છ, અનિલભાઈ ગોવાણી, પારસભાઈ ચગ, સંજયભાઈ હીરાણી સહીતના અગ્રણીઓ દ્વારા ભોજન પ્રસાદ વિતરણ સહીતની વિવિધ સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી









