Sunday, December 14, 2025
HomeGujaratમોરબી: ખાખરળા ગામે ઝેરી જીવજંતુના કરડવાથી સારવાર દરમ્યાન આધેડનું મોત

મોરબી: ખાખરળા ગામે ઝેરી જીવજંતુના કરડવાથી સારવાર દરમ્યાન આધેડનું મોત

મોરબી તાલુકાના ખાખરળા ગામે ઝેરી જીવજંતુ કરડવાની ઘટનામાં ૪૬ વર્ષીય આધેડનું રાજકોટ સારવાર દરમિયાન મોત થયું છે. જે અંગે મોરબી તાલુકા પોલીસે મરણ નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ખાખરળા ગામે રહેતા લક્ષમણભાઈ મોતીભાઈ વણોલ ઉવ.૪૬ને એકાદ મહિના પહેલા ઘેર હાજર હતા ત્યારે કોઈ અજાણ્યા ઝેરી જીવજંતુ કરડ્યા બાદ તબિયત લથડી હતી. શરૂઆતમાં મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી, ત્યારબાદ વધુ સારવાર માટે તા.૧૦/૧૨ના રોજ રાજકોટ સરકારી હોસ્પિટલના સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તા.૧૩/૧૨ના રોજ તેમનું મોત નિપજ્યું હોવાનું ફરજ પરના ડૉક્ટરે જાહેર કર્યું હતું. મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!