Saturday, March 21, 2026
HomeGujaratમોરબી મનપા દ્વારા સેવાસેતુ ૨.૦ કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોના સ્થળ પર નિકાલ કરાયો

મોરબી મનપા દ્વારા સેવાસેતુ ૨.૦ કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોના સ્થળ પર નિકાલ કરાયો

મોરબી: સરકારના લોકકલ્યાણકારી અભિગમને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તાર સેવાસેતુ ૨.૦ કાર્યક્રમનું આયોજન બે અલગ અલગ સ્થળ ઉપર જેમાં ૧)તાલુકા શાળા મણીમંદિર પાસે તેમજ ૨) વજેપર વાડી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી કમિશનર અને આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરી જનોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો અને બહોળા પ્રમાણમાં નાગરિકોની ઉપસ્થિતિ નોંધાય હતી.

- Advertisement -
- Advertisement -

સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આવકના દાખલા, રેશનકાર્ડને લગતી કામગીરી, આધારકાર્ડ સુધારા, જન્મ પ્રમાણપત્ર, આરોગ્યલક્ષી કાર્ડ, મેડિસિન સારવાર, ઘરેલું વીજ જોડાણ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, બેસ કનેક્શન પાસ, જેવા અન્ય સરકારી યોજનાઓના ફોર્મ અરજી સ્વીકારવાની સાથે સ્થળ પર જ નિકાલ કરવાની કામગીરી હાથ ઘરવામાં આવી હતી. કાર્યક્રમનું પારદર્શક રીતે કામગીરી થાય અને સફળ આયોજન બનાવવા માટે મહાનગરપાલિકાનાં સ્ટાફ અને વિવિધ વિભાગના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી. અને તમામ વિભાગના કર્મચારીઓએ સંકલનપૂર્વક કામગીરી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!