મોરબી મહાનગર પાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા છેલ્લા સાત દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાંથી ૭૫ પશુ પકડવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં પશુ માલિકો પાસેથી રૂ. ૮૦૦૦ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત મોરબી મહાનારપાલિકા દ્વારા ઘાસ વેચાણ કરતાં ૧૧ વેપારીઓને અને ૩ પશુમાલિકોને લાયસન્સ આપવામાં આવ્યાં હતાં.
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા તા. ૨૧/૦૫/૨૦૨૫ થી ૨૭/૦૫/૨૦૨૫ દરમિયાન શહેરી વિસ્તારમાંથી કુલ ૭૫ પશુ પકડવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રી સમય દરમિયાન અવની ચોકડી, બાપા સીતારામ ચોક, નગર દરવાજા, મંગળ ભુવન ચોક, શનાળા રોડ, રવિ પેલેસ, સોમનાથ પેલેસ તથા સામાકાંઠે જેવા વિવિધ વિસ્તારમાંથી ઢોર પકડીને આજુબાજુની ગૌશાળામાં મુકવામાં આવ્યા હતા. તેમજ પકડેલ પશુ પૈકી ૨ પશુ માલિક પાસેથી નિયત કરેલ વહીવટી ચાર્જ રૂ. ૮૦૦૦/- વસુલ કરી પશુને છોડવામાં આવ્યા હતા. તે ઉપરાંત મોરબી મહાનારપાલિકા દ્વારા ઘાસ વેચાણ કરતાં ૧૧ વેપારીને અને ૩ પશુમાલિકોને લાયસન્સ આપવામાં આવ્યાં હતાં