મોરબી મહાનગર પાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા.૧૧/૦૩ થી ૧૭/૦૩ સુધી કમિશનરના આદેશ મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ૭ હોસ્પિટલમાં ૫૫ હોસ્પિટલ સ્ટાફને, ૪ સ્કુલમાં ૬૩૭ વિદ્યાર્થી અને સ્ટાફને, ૦૧ હોટલના ૨૦ સ્ટાફને અને ૦૧ મોલના ૦૭ સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી.તેમજ ફાયર વિભાગ દ્વારા ચેકીંગ કરી NOC ન ધરાવતા ૨૩ ને ત્રીજી અને છેલ્લી નોટીસ આપવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા.૧૧/૦૩/૨૦૨૫ થી ૧૭/૦૩/૨૦૨૫ સુધી કમિશનરના આદેશ મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ૭ હોસ્પિટલમાં ૫૫ હોસ્પિટલ સ્ટાફને, ૪ સ્કુલમાં ૬૩૭ વિદ્યાર્થી અને સ્ટાફને, ૦૧ હોટલના ૨૦ સ્ટાફને અને ૦૧ મોલના ૦૭ સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. વધુમાં ફાયર પ્રિવેન્શનના ભાગ રૂપે હોસ્પિટલોનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ ફાયર NOC ન ધરાવતા ત્રીજી અને છેલ્લી નોટીસ ૨૩ ને આપવામાં આવી હતી. સાથે જ પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી હતી. વધુમાં મોરબી જીલ્લામાં જુદી જુદી કૂલ ૦૫ જગ્યાએ આગના બનાવ બન્યા હતા. જેમાં ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવી હતું. તેમજ ૦૧ રેસ્ક્યુ કોલની કામગીરી પણ કરી હતી. ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકામાં આવેલ હોસ્પિટલ/સ્કુલમાં ફાયર સેફટી વિષે માહિતી આપી જાગૃત કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના, કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. તે માટે દુર્ઘટના થાય ત્યારે મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અને ૧૦૧ પર સંપર્ક કરવા જાણ કરવામાં આવી હતી.