Monday, May 6, 2024
HomeGujaratમોરબીમાં હત્યાનો બનાવ : પંચાસર રોડ પર યુવાનની કરપીણ હત્યા : ડીવાયએસપી...

મોરબીમાં હત્યાનો બનાવ : પંચાસર રોડ પર યુવાનની કરપીણ હત્યા : ડીવાયએસપી સહિતનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો.

મોરબીમાં હત્યાનો બનાવ : પંચાસર રોડ પર યુવાનની કરપીણ હત્યા : ડીવાયએસપી સહિતનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં છેલ્લા ત્રણ દિવસમાં જુદા જુદા ત્રણ બનાવો હત્યાના બન્યા છે જેમાં આજે ચોથા દિવસે વધુ એક હત્યાનો બનાવ રાત્રીના સામે આવ્યો છે આ બનાવની હાલ બિન સતાવાર રીતે માહિતી મેળવીએ તો મોરબીના પંચાસર રોડ પર રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ મોરબીના પંચાસર રોડ પરથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં એક વ્યક્તિને મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જેમાં આ વ્યક્તિને પ્રાથમિક સારવાર મળે એ પહેલાં જ મોત નીપજ્યું હતું સાથે જ પેટ અને છાતીના ભાગે તીક્ષણ હથિયાર નો ઘા જોવા મળ્યો હતો બનાવની જાણ થતાં જ ડીવાયએસપી રાધિકા ભારાઈ અને એ ડિવિઝન પીઆઇ જે એમ આલ સહિતનો પોલીસ કાફલો સીવીલ હોસ્પિટલ પહોંચી ગયો હતો અને ડીવાયએસપી રાધિકા ભરાઈએ પ્રાથમિક તપાસ કરતા આ વ્યક્તિનું નામ નવઘણ હરેશભાઇ અજાણા રહે ભગવતી પરા વાવડી રોડ મોરબી વાળા હોવાનું માલુમ પડ્યું હતું.

જો કે શરીર પર નિશાન જોઈને આ વ્યક્તિનું હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં શક્યતાઓ સેવાઇ રહી હતી ત્યારે ડીવાયએસપી રાધિકા ભારાઈ ની ઝીણવટભરી તપાસમાં આ વ્યક્તિને તેનો ભાઈ જ સિવિલ હોસ્પિટલ રોડ પરથી જતી ઈકોને રોકીને લાવ્યો હોવાનું જણાવ્યું હતું મૃતક અને તેનો ભાઈ બન્ને મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે ત્યારે પોલીસે મૃતક નવઘણ અજાણા ની હત્યા ક્યાં કારણસર અને શા માટે નિપજાવી તેં માટે ડીવાયએસપી રાધિકા ભારાઈ અને ડીવીઝન પીઆઇ જે એમ આલની ટીમે મોડી રાત્રીના હાથ ધરવામાં આવી છે જેમાં આગામી સમયમાં મૃતદેહ ના પીએમ બાદ આગળની કાર્યવાહી એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!