દશ રૂપિયામાં એક ફુલસ્કેપ બુક એમ કુલ ૫૦૦૦ ચોપડા વિતરણ કરાયા
શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સનાતન યુવા ગ્રુપના માધ્યમથી પિતૃ દેવો ભવ ફાધર્સ ડે ના દિવસે વિદ્યાથીઓને ફૂલ સ્કેપના બુક્સ નું વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવશે. શ્રી જડેશ્વર મંદિર ટ્રસ્ટ સહકાર અને અનેક દાતાઓના સહયોગથી સ્વયં સેવકોએ સેવા આપી હતી.
પિતૃ દેવો ભવ ફાધર્સ ડે ના દિવસે શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સનાતન યુવા ગ્રુપના માધ્યમથી વિદ્યાર્થીઓ તેમજ બહેનોને રાહત દરે ફૂલસ્કેપના બુક્સ વિતરણનો એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં એક ફુલસ્કેપ બુક દશ રૂપિયાના નજીવા દરે એમ કુલ ૫૦૦૦ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જે આવતા વર્ષે વધારે પ્રયત્ન સાથે કાર્યક્રમ કરવામાં આવશે તેવા સંકલ્પ સાથે કાર્ય પૂર્ણ કરાયું હતું. શ્રી જડેશ્વર મંદિર ટ્રસ્ટનો સહકાર તથા નામી અનામી દાતાઓ, સ્વયંસેવકોએ જે સેવા આપી છે તે બદલ સર્વનો આભાર માનવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અને એમના માતા પિતા અહીં આવી ફાધર્સ ડે ના દિવસે કોઈના પિતા, માતા, ભાઈ કે કોઈને બેન બનવાનો મોકો મળ્યો એ બદલ સનાતન યુવા ગ્રુપ મોરબીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો