Friday, September 20, 2024
HomeGujaratમોરબી:હનુમાન જયંતિ નિમિતે ખોખરા હનુમાન હરિધામ ખાતે હનુમાન જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન

મોરબી:હનુમાન જયંતિ નિમિતે ખોખરા હનુમાન હરિધામ ખાતે હનુમાન જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન

શ્રી ખોખરા હનુમાન સેવા સમિતિ દ્વારા હનુમાન જયંતિ નિમિતે ચાર દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ખોખરા હનુમાન હરિધામ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સૌ ભાવિ ભક્તોને પધારવા આયોજકો દ્વારા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

શ્રી ખોખરા હનુમાન સેવા સમિતિના જણાવ્યા અનુસાર, આગામી તારીખ ૬ એપ્રિલથી ૯ એપ્રિલ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન શ્રી ખોખરા હનુમાન હરિહર ધામના આંગણે કરવામાં આવ્યું છે. જેમાં શ્રી હનુમંત યજ્ઞ, ભવ્ય સંતવાણી, શ્રી રામ ચરિત માનસ પાઠ તા. ૬-૪-૨૦૨૩ થી તા. ૯-૪-૨૦૨૩ સુધી અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર શ્રીકનકેશ્વરીદેવીજીના સાનિધ્યમાં શ્રી હનુમાન જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૬-૪-૨૦૨૩ને ગુરૂવારના હનુમાન જયંતિ નિમિતે સવારે ૯-૦૦ કલાકે શ્રી હનુમંત યજ્ઞ જયારે રાત્રે ૧૦-૦૦ કલાકે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં (નેનો ડેરો) – ગ્રુપના દેવરાજભાઈ ગઢવી અને લોક સાહિત્યકાર શક્તિદાન ગઢવી પોતાનું સુર રેડશે. તેમજ ૭-૪-૨૦૨૩ને શુક્રવારના રોજ યોજાનાર સંતવાણી કાર્યક્રમમાં રાત્રે ૧૦-૦૦ કલાકે લલિતાબેન ઘોડાદ્રા અને સાધ્વી જયશ્રી માતાજી લોકોનું મન મોહશે. તેમજ તા.૮-૪-૨૦૨૩ અને ૯-૪-૨૦૨૩ ના રોજ શ્રી રામ ભકત મંડળ, બિકાનેર, રાજસ્થાન દ્વારા શ્રી રામ રારિતમાનસના અખંડપાઠ રજુ કરવામાં આવશે. ત્યારે સૌ કોઈ ભક્તજનોને પધારવા આયોજક શ્રી ખોખરા હનુમાન સેવા સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!