મોરબી જિલ્લા કરણીસેના અને મોરબી રાજપૂત સમાજ દ્વારા વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીની જયંતીના દિવસે મોરબીના સામાં કાંઠે આવેલ મહારાણા પ્રતાપ સિંહજીની પ્રતિમાને ફુલહાર કરી સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા કરણી સેના અને મોરબી રાજપૂત સમાજ દ્વારા માતૃભૂમિની સ્વાધીનતા માટે સંપૂર્ણ જીવન બલિદાન કરનાર વીરતા ,પરાક્રમ, ત્યાગ અને દેશ ભક્તિના પ્રત્યેક વીર શિરોમણી મહારાણા પ્રતાપ સિંહજીની જયંતીના દિવસે આજરોજ મોરબી સામા કાંઠે આવેલ મહારાણા પ્રતાપ સિંહજીની પ્રતિમાને ફુલ હાર કરીને તેમના ગૌરવવંતી બલિદાન યાદ કરી સમરંણાજલી અપૅણ કરવામાં આવી હતી. આ તકે મોરબી કરણી સેના અને મોરબી રાજપૂત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા