સૃષ્ટિના આદ્ય પત્રકાર દેવર્ષિ નારદ જયંતિના દિવસે વિશ્વ સવંત કેન્દ્રની પરંપરા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પત્રકાર મિલન સમારોહનું આયોજન શનિવારના રોજ કરવામાં આવ્યું છે. જેમાં પત્રકારોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવાયું છે. જેમાં વક્તા તરીકે વિજયભાઈ એમ.રાવલ ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ”દેવર્ષિ નારદ જયંતી” નિમિત્તે પત્રકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સૃષ્ટિના આદ્ય પત્રકાર દેવર્ષિ નારદ જયંતિ ના દિવસે વિશ્વ સવંત કેન્દ્રની પરંપરા અનુસાર પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૩૧/૦૫/૨૦૨૫ ને શનિવારે રાત્રે ૮:૩૦ વાગ્યે મોરબીના મનાલી હોટેલ વાળી શેરી નવા બસ સ્ટેન્ડ સામે, શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં RSS કાર્યકર્તા, અધ્યયન મંડળ સહસંયોજક મોરબીનાં વિજય એમ રાવલ વક્તા તરીકે ઉપસ્થિત રહેશે. જેના સંપર્ક માટે રાજેશભાઈ બદ્રકિયા ૯૮૨૫૪ ૨૧૦૩૧ અને હિતેશ પાંચોટિયા ૯૯૩૩૪ ૦૯૧૭૧ પર સંર્પક કરી શકાશે