Monday, June 9, 2025
HomeGujaratમોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજના ધો-૫ થી કોલેજના વિદ્યાથીઓને...

મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજના ધો-૫ થી કોલેજના વિદ્યાથીઓને ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કરાશે

મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજ ના ધો-૫ થી કોલેજના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૧-૬-૨૦૨૫ બુધવારથી તા. ૧૪/૦૬/૨૦૨૫ શનિવાર સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી શ્રી લોહાણા મહાજન વાડી સુધારાવાડી શેરી ખાતે વિતરણ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા સમાજના ધો-૫ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ તા. ૧૧-૬-૨૦૨૪ બુધવારથી તા.૧૪-૬-૨૦૨૫ શનીવાર સુધી સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શ્રી લોહાણા મહાજન વાડી સુધારાવાડી શેરી, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જે ફુલ સ્કેપ ચોપડા મેળવવા માટે વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૨૫ ની માર્કશીટની ઝેરોક્ષ મોબાઈલ નંબર લખીને લાવવાની રહેશે. જે વિદ્યાર્થીઓને ઓરીજીનલ માર્કશીટ ન આવેલ હોય તેમણે ઓનલાઈન માર્કશીટની પ્રિન્ટ અને તેમા મોબાઈલ નંબર લખીને લાવવાનુ રહેશે જેની સર્વેએ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. પ્રવર્તમાન વર્ષે શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમ માં જે.ડી.મીરાણી (એડવોકેટ), સ્વ.કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર, કલ્પેશભાઈ પુજારા (Edu-bliss career institute), પ્રવિણભાઈ કક્કડ (જનતા ક્લાસીસ) પરિવાર, હસમુખરાય ચીમનલાલ પુજારા પરિવાર, પ્રતિકભાઈ તથા હાર્દિકભાઇ એચ. હાલાણી પરિવાર, મહેન્દ્રભાઈ રામજીભાઈ બારા (ભગવતી મંડપ) પરિવાર, સદગુરુદેવના શિષ્ય પરિવાર, સ્વ.અમૃતલાલ ત્રિભોવનદાસ રાચ્છ (હ.ગીરીશભાઈ રાચ્છ) પરિવાર, સ્વ.હિંમતલાલ કેશવજીભાઈ પંડિત પરિવાર, ઠા.મગનલાલ રણછોડભાઈ હીરાણી (હ.મનુભાઈ હીરાણી) પરિવાર, સી.પી પોપટ પરિવાર, ભોગીલાલ ધનજીભાઈ બુધ્ધદેવ પરિવાર (હ.વિરલભાઈ બુધ્ધદેવ), સ્વ. દયાબેન વાલજીભાઈ ચગ પરિવાર (હ.ભાવનાબેન, મધુબેન, જયશ્રીબેન, નીતાબેન તથા ચગ પરિવાર), સ્વ.શાંતિલાલ નેણસીભાઈ છગાણી પરિવાર (હ.નિખિલભાઈ તથા પિયુષભાઈ છગાણી), સ્વ.શાંતાબેન મનસુખલાલ પંડિત પરિવાર (હ.વિનોદભાઈ), સ્વ.કાંતિલાલ રવજીભાઈ રાજવીર પરિવાર (જલારામ ગોળ), સ્વ.હરીલાલ મનહરલાલ રવાણી (હ.રીટાબેન મનહરલાલ રવાણી) પરિવાર તરફથી સહયોગ આપવામાં આવ્યો છે તેમ નિર્મિત કક્કડ પ્રમુખ લોહાણા વિદ્યોતેજક ફંડ મોરબી, નરેન્દ્રભાઈ રાચ્છ-મંત્રી લોહાણા મહાજન મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!