મોરબી તાલુકાના ગ્રામ્યમાંથી સગીરાનુ અપહરણ કરનાર આરોપીઓને ભાવનગર તેમજ લીલાપર ગામેથી ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે તાલુકા પોલીસે બંને આરોપીઓને હસ્તગત કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લાના પોલીસ સ્ટેશનથી અપહરણ તથા પોક્સો અધિનિયમ કલમ મુજબની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આવતા, તુરંત ઝીરો નંબર ફરીયાદથી ગઇ તા.૨૫ મે ૨૦૨૫ ના રોજ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ રજિસ્ટર કરવામાં આવેલ હતી. ઉપરોક્ત ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાએ આ કામે ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને શોધી કાઢવા કવાયત શરૂ કરી હોય તે દરમિયાન પીએસઆઇ એસ.એચ.ભટ્ટ, હેડ કોન્સ. નીરવભાઇ મકવાણા તથા અર્જુનસિંહ પરમારે ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી મુખ્ય આરોપી કમલેશ હિરૂભાઈ અજનાર ઉવ-૨૦ હાલ રહે-પીપલ ફળીયા, તા.જોબટ (થાના-જોબટ) જી.અલીરાજપુર મધ્યપ્રદેશને ભાવનગર ખાતે શોધી કાઢેલ તેમજ હેડ કોન્સ મહાવીરસિંહ અનીરૂધ્ધસિંહ પરમાર, કોન્સ.વિજયભાઇ નાથાભાઇ ડાંગર તથા શક્તિસિંહ કીશોરસિંહ જાડેજાએ સહઆરોપી વિપીનભાઈ દસરીયાભાઇ બધેલ ઉવ-૨૪ રહે. ઉબરીગામ તા.થાન્દલા જી. અલીરાજપુર વાળાને મોરબી તાલુકા લીલાપર ગામ પાછળ આવેલ પથ્થરની ખાણમાંથી શોધી કાઢી બંને આરોપીઓની ધોરણસર અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.