Friday, October 25, 2024
HomeGujaratમોરબી તાલુકા પોલીસ મથકમાં બે અલગ અલગ અપમૃત્યુના બનાવ નોંધાયા

મોરબી તાલુકા પોલીસ મથકમાં બે અલગ અલગ અપમૃત્યુના બનાવ નોંધાયા

મોરબી તાલુકા પોલીસ મથકમાં પીપળી ગામ તથા રફાળેશ્વર ગામે અપમૃત્યુના અલગ અલગ બે બનાવમાં ૫૩ વર્ષીય પ્રૌઢ સહિત બે વ્યક્તિના અકાળે મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ અપમૃત્યુના બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામ નજીક પાવડીયારી રોડ ઉપર આવેલ ક્રિપટોન સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા અનિલભાઈ ડાંગી મુળરહે.એમ સાગર એમ.પી વાળાએ ગઈકાલે ક્રીપટોન સીરામીકના લેબર કવાર્ટરમાં કોઇ કારણસર ગળેફાંસો ખાઇ લેતા તેની ડેડબોડી ૧૦૮ એમ્બ્યુલેસ દ્રારા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અપમૃત્યુના બીજા બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર જૂની શાકમાર્કેટ પાછળ રહેતા ૫૩ વર્ષીય જગદીશભાઈ નાનજીભાઈ હીરાણી ગઈકાલે રાત્રીના ૯ વાય પહેલા રફાળેશ્વર રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેક ઉપર અકસ્માતે ટ્રેઈન હડફેટે આવી જતા અકસ્માત થતા મરણ પામ્યા હતા ત્યારે જગદીશભાઈની ડેડબોડી ૧૦૮ મા અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા હાજર ડોક્ટર દ્વારા પોલીસને જાણ કરાઈ હતી ત્યારે પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી અ.મોત રજીસ્ટર કરી ઇન્કવેસ્ટ પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!