Wednesday, June 18, 2025
HomeGujaratમોરબી:શક્ત શનાળાના બાળક અનંત અઘારાની ચિત્રની અદભુત કળા

મોરબી:શક્ત શનાળાના બાળક અનંત અઘારાની ચિત્રની અદભુત કળા

મોરબીના શક્ત શનાળાના બાળક અનંત અઘારામાં ચિત્રો દોરવાની અનંત શક્તિ છે. અનંત દેશના નેતાઓ, ક્રાંતિકારીઓ વ્યક્તિઓના આબેહૂબ ચિત્ર દોરે છે. ‘અનંત અઘારા’ માં ચિત્રો બનાવવાની બેનમૂન કલા છે. જે ચિત્રો નિહાળી અનંત અધારાને અભીનંદન અને શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

- Advertisement -
- Advertisement -

બાળકએ ઈશ્વરનું અદ્દભુત સર્જન છે. દરેક બાળકમાં ઈશ્વરે કંઈકને કંઈક ખાસિયતો, શક્તિ, કલા અને કૌશલ્ય આપેલા હોય છે. પરંતુ બાળકના માતા પિતાએ કલા,બકૌશલ્ય, ખાસિયતોને વિકસાવવા માટે જહેમત ઉઠાવી પડે છે.

કલાને નિખારવા સાધના કરવી પડે છે. આવી જ શક્તિ શક્ત શનાળા ગામના નિવાસી સુખદેવભાઈ અઘારાના પુત્ર અનંત અધારા છે. કે જેમને ધોરણ આઠ સુધીનો અભ્યાસ રાજપર તાલુકા શાળામાં પૂર્ણ કરી હાલમાં નવયુગ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરે છે. આ બાળ ચિત્રકાર છત્રપતિ શિવાજી મહારાજ, રાણા પ્રતાપ, શહીદ વીર ભગતસિંહ, મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, પ્રમુખ સ્વામી, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ તેમજ નરેન્દ્રભાઈ મોદી વગેરે ઐતિહાસિક વ્યક્તિઓ તેમજ પરિવારના સભ્યો અને અનંતને ગમતા વ્યક્તિ વિશેષના આબેહૂબ ચિત્રો દોરે છે.

 

બાળ કલાકારની કલાને વિકસાવવા એમના પિતા સુખદેવભાઈ અઘારા તેમજ ઘરના સભ્યો અનંતને જરૂરી તમામ સુવિધા, પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. અનંતની અદ્દભુત, અલૌકીક કલા કૌશલ્યને નિહાળી ચારેકોરથી ધન્યવાદ સાથે અભિનંદન પાઠવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!