મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરની તાનાશાહી સામે વિરોધ નોંધવામાં આવ્યો છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા નાના વેપારીઓ,નાના દુકાનદારો કે સામાન્ય વર્ગના લોકો પર દંડ તોડવામાં આવે છે. જે તાનાશાહી અને ભેદભાવ સામે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરની તાનાશાહી સામે વિરોધ નોંધવામાં આવ્યો છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા તાનાશાહી કરી જે કામગીરી કરવામાં આવી રહી છે તે ભેદભાવ વાળી કામગીરી છે તેવા આક્ષેપ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે. મોટા ગેરકાયદેસર બાંધકામો, રાજકીય જોડાણ ધરાવતા લોકો અને અન્ય સમાજના બિનકાયદેસર દબાણો અને કામો શું તાનાશાહી મહાનગર પાલિકાના નજરમાં નથી ? તેવા સવાલ સાથે મહાનગરપાલિકા દબાણોને જાણી જોઈને ધ્યાન બહાર કરી રહી છે તેવા આક્ષેપો કરાયા છે.હંમેશા ફક્ત હિન્દુ સમાજના સામાન્ય વર્ગ ના જનતા પર જ કાર્યવાહી કેમ ? નાના દુકાનદારો, રખડતો વેપારી કે સામાન્ય વર્ગના લોકો પર કેમ દંડ તોડવામાં આવે છે ? આવી તાનાશાહી અને ભેદભાવ નીતિ વાળી તાનાશાહી મહાનગરપાલિકા ન ચાલે તેનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સખ્તપણે વિરોધ કરવામાં આવી રહ્યો છે.