Friday, October 4, 2024
HomeGujaratહળવદ ભાજપ દ્વારા સાંસદ ચંદુભાઈ શિહોરાનો આભાર દર્શન - અભિવાદન સમારોહ યોજાયો

હળવદ ભાજપ દ્વારા સાંસદ ચંદુભાઈ શિહોરાનો આભાર દર્શન – અભિવાદન સમારોહ યોજાયો

આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા,કચ્છ સાંસદ, મોરબી ધારાસભ્ય, હળવદ ધારાસભ્ય, વઢવાણ ધારાસભ્ય, વાંકાનેર ધારાસભ્ય,પૂર્વ મંત્રી,મોરબી સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો હોદેદારો ઉપસ્થિત રહ્યા

- Advertisement -
- Advertisement -

હળવદ ભાજપ દ્વારા સુરેન્દ્રનગર ના સાંસદ ચંદુભાઈ શિહોરા નો આભાર દર્શન અને અભિવાદન કાર્યક્રમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ કર્યું હતું.

અભિવાદન અને આભાર દર્શન કાયૅકમ મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ચંદુભાઈ શિહોરાને ટ્રોફી સાલ અને મોમેન્ટ ફુલ હાર પહેરાવી તમામ આગેવાનો હોદ્દેદારો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું, આ તકે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુભાઇ શિહોરે જણાવ્યું હતું કે નાના એવા કાર્યકર માંથી જિલ્લા પ્રમુખ થી સાંસદ સુધીની જે સફરમાં લઈ જવા બદલ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા નો આભાર વ્યક્ત કર્યો હતો, સાથે સાથે પાર્ટીના હોદેદારો કાર્યકરોએ જે મહેનત કરી છે તે તમામ લોકો‌ જંગી બહુમતી ચુંટી કાઢવા બદલ તમામ‌ મતદારોનો લોકોનો આભાર માન્યો હતો, આગામી દિવસોમાં જે કામ બાકી છે તે કામને પ્રથમ પ્રાધાન્ય આપી સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર ના રોડ રસ્તા પાણીને પ્રાધાન્ય આપી આગામી દિવસોમાં કાર્ય કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

આ તકે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવડિયા જણાવ્યું હતું કે જે મતદારોએ નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ મૂકીને આ બેઠક પર કમળ ખીલવયુ છે તે બદલ તમામ લોકોનો આભાર માનું છું અને હું ક્યારેય પણ ચૂંટણી લડવાનો નથી હંમેશા સંગઠનમાં રહીને જ કામ કરવાનો છું, નાનામાં નાના કાર્યક્રરોને કોઈપણ જાતનું કામકાજ હોય તો હંમેશા હું કાર્યકરો પડખે રહી કામ કરીશ અને ભવિષ્યમાં પણ કરતો રહીશ તેવું જણાવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા,સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરા, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીમ,પૂર્વ મંત્રી બીજેશભાઈ મેરા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મેમ્બર વલ્લભભાઈ પટેલ,માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, સહિતના હોદ્દેદારો કાર્યકરો સરપંચો ચૂંટાયેલા તાલુકા પંચાયત નગરપાલિકાના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચંદુભાઈ શિહોર નું મોમેન્ટ આપી શાલ ઓઢાડીને પુષ્પ માલા થીઅભિવાદન કર્યું હતું

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઘનશ્યામભાઈ ગોહિલ, રમેશભાઈ ભગત, રવિભાઈ પટેલ, ગીરીશભાઈ લકુમ, રવી પટેલ, સહિતના સુંદર સંચાલન કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હળવદ ભારતીય જનતા પાર્ટીનાહોદ્દેદાર કાર્યકરો એ ભારે જેહમત ઉઠાવી હતી. કાર્યક્રમના સમાપન બાદ તમામ કાર્યકરોએ સમુહ ભોજન કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!