૨૨ એપ્રિલના રોજ આતંકીઓએ કાશ્મીરના પહલગામમાં હુમલો કરી ભારત દેશની હિન્દુ મુસ્લીમ ભાઈચારાની એકતા તોડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે પોરબંદરથી પહેલગામ સુધીની બે હજાર કિલોમીટરની પદયાત્રાએ મુસ્લીમ સદામબાપુ નામના યુવાન નિકળ્યા છે.જેઓએ બાપુ એટલે કે મહાત્મા ગાંધીના મૂળ પોરબંદરથી અહિંસાયાત્રા શરૂ કરી છે.જે યાત્રા વાંકાનેરમાં આવી પહોંચતા ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પોરબંદરની પહલગામ સુધી સદામબાપુ નામના યુવાન પદયાત્રાએ નીકળ્યા છે.જેઓ શાંતિ અને ભાઈચારા ના સંદેશ સાથે યાત્રા શરૂ કરી છે.તેમજ યાત્રા દરમિયાન તેઓ ફંડ એકત્રિત કરી આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોના પરિવારને મદદ કરશે.ત્યારે આ પદયાત્રા વાંકાનેરના વાલાસણ ગામેથી વાંકાનેર તાલુકામાં પ્રવેશ કર્યા બાદ પીપળીયારાજ, અરણીટીંબાના બોર્ડ અને અમરસર ફાટકે તેમનુ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
જ્યારે વાંકાનેર શહેરમાં આંબેડકર ચોક ખાતે દલિત સમાજ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જયારે નેશનલ હાઈવે પર મોમીન સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને દેશની એકતાને અખંડ રાખવા માટે ઉમદા પ્રયાસ બદલ સૌ લોકોને તેમને દિલથી આવકારી ઉમકાભેર સ્વાગત કર્યું હતું.