રાષ્ટ્રીય અન્ન સુરક્ષા-કાયદો-૨૦૧૩ (N.F.S.A) હેઠળ સમાવિષ્ટ રાજયના તમામ લાભાર્થીઓને “પ્રઘાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ વિના-મૂલ્યે મળતા અનાજનો લાભ મળે તે માટે e-KYC શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૮૫ ટકાથી વધુ લાભાર્થીઓએ પોતાનું e-KYC પૂર્ણ કર્યું છે. તેથી e-KYC નો મુખ્ય ઉદ્દેશ માત્ર સાચા લાભાર્થીઓને લાભ આપવાનો છે તેથી ખોટા માર્ગે ન દોરાવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા-કાયદો-૨૦૧૩ (N.F.S.A) હેઠળ સમાવિષ્ટ રાજયના તમામ લાભાર્થીઓને એક સંદેશ આપતા જણાવ્યું છે કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા-કાયદો-૨૦૧૩ (N.F.S.A) હેઠળ સમાવિષ્ટ રાજયના તમામ લાભાર્થીઓને “પ્રઘાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ વિના-મૂલ્યે મળતા અનાજનો લાભ આપવા માટે રાજય સરકાર કટીબધ્ધ છે. જે લાભ મેળવવા માટે અને લાભાર્થીઓને સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સાચા લાભાર્થીઓને નિયત કરેલ ઘારા-ઘોરણ પ્રમાણે લાભ મળે તે માટે e-KYC શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૮૫ ટકાથી વધુ લાભાર્થીઓએ પોતાનું e-KYC પૂર્ણ કર્યું છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા-૨૦૧૩ (N.F.S.A) હેઠળ લાભ મેળવતા તમામ લાભાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે, જો આપનું e-KYC બાકી હોય તો ત્વરીત e-KYC કરાવી લેવું અને આપની નજીક વ્યાજબી ભાવની દુકાનો ખાતેથી આપના લાભનું અનાજ મેળવી લેવું. આ e-KYC નો ઉદ્દેશ સાચા લાભાર્થીઓની ઓળખ કરવા માટેનો છે જેથી કોઇએ ખોટા સમાચારથી ગેરમાર્ગે ન દોરાવવા અપીલ કરવામાં આવી છે