Friday, May 30, 2025
HomeGujaratકુદરતની ક્રૂરતા:હળવદમાં સાત દીકરીઓના ભાઈનું જન્મ પછી ગણતરીના સમયમાં અવસાન:૧૫ દિવસમાં પિતાનું...

કુદરતની ક્રૂરતા:હળવદમાં સાત દીકરીઓના ભાઈનું જન્મ પછી ગણતરીના સમયમાં અવસાન:૧૫ દિવસમાં પિતાનું પણ અવસાન થતા સાત દીકરીઓ નોંધારી બની:મદદની ગુહાર

હળવદ તાલુકાના શક્તિનગર ગામે એક પરિવાર સાથે કુદરતે જાણે ક્રુરતા દાખવી હોય તેવી કરુણ ઘટના સામે આવી છે. જેમાં એક આર્થિક રીતે મઘ્યમ વર્ગના પરિવારમાં ૭ દીકરીઓ બાદ દીકરો જન્મ થતાની સાથે મૃત્યુ પામતા તેના આઘાતમાં પિતાનું પણ એટેકથી મૃત્યુ થયું છે. બાદમાં મોટી દીકરીએ દીકરાનો ધર્મ નિભાવી પિતાને કાંધ આપી અંતિમ સંસ્કાર કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના શક્તિનગર ગામમાં રહેતા અને નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા ૪૧ વર્ષના બ્રાહ્મણ પરિવારના ભાવેશભાઈ દલપતભાઈ ભટ્ટના ઘરે તાજેતરમાં ૭ દીકરીઓ બાદ દીકરાનો જન્મ થયો હતો. જો કે જન્મતાની સાથે જ દીકરાનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી આઘાતમાં સરી પડેલા ભાવેશભાઈનું ૧૫ જ દિવસમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. ૭ દિકરીઓમાં તેમની સૌથી મોટી દીકરી 19 વર્ષની છે અને સૌથી નાની દીકરી 5 વર્ષની છે. પરિવારમાં એકને એક દીકરાનો જન્મ થતા વેંત જ તે મૃત્યુ પામતા પરિવાર આઘાતમાં હતો તે ઉપરથી પરિવારના આધાર સ્તંભ એવા ભાવેશભાઈનું પણ મૃત્યુ નિપજતા પરિવાર ઉપર આભ તૂટી પડયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ દરમિયાન પરિવારની મોટી દીકરી મીતલે પિતાને કાંધ આપી અગ્નિ સંસ્કાર કરી દીકરાનો ધર્મ નિભાવ્યો હતો. જેમની અંતિમ વિધિમાં અનેક સેવાકીય અગ્રણીઓએ પરિવારની પડખે ઉભા રહી માનવતા દાખવી હતી. વધુમાં સામાજિક અગ્રણીઓએ આ પરિવારને ફૂલ નહિ પણ ફૂલની પાંખડી સમાન મોબાઈલ નં. ૯૯૭૯૦ ૪૩૧૯૯ અને ૯૮૭૯૩ ૯૭૭૭૨ પર મદદ કરી પુણ્યનું ભાથું બાંધવા અપીલ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!