અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ટંકારા તાલુકા દ્વારા ગુરુ વંદન કાર્યક્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવી કારોબારીનું ગઠન કરવામાં આવ્યું હતું અને ટંકારા તાલુકા શૈક્ષિક મહાસંઘની નવી ટીમનું ગઠન કરાયું હતું.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ટંકારા તાલુકા દ્વારા આયોજિત ગુરુ વંદન કાર્યક્રમની શરૂવાત સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિ મુજબ સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યુ હતું, કાર્યકમમાં મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા ગુરુવંદન માટે આધ્યાત્મિક, સાંસ્કૃતિક બાબતોની વાત મૂકી અને ગુરુનું શું સ્થાન હતું? પેલા સમાજમાં અને અને અત્યારે શું સ્થાન છે? તેના વિશે સચોટ માહિતી આપી. ત્યારબાદ સંગઠનનો વ્યાપ વધારવા માટે અને સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ. એક કાર્યકર્તા તરીકે આપડી શું ભૂમિકા હોવી હોઈએ અને આપડે સમાજ અને રાષ્ટ્ર માટે શું કરી શકીએ? તેની સચોટ માહિતી રાજ્યના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણીએ આપી હતી. અને ટંકારા તાલુકા દ્વારા આવનારા સમયમાં શિક્ષકોના પડતર પ્રશ્નોને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વાચા આપવામાં આવશે અને સદસ્યતા અભિયાન માટેનું આયોજન કરાયું હતું અને ટંકારા તાલુકાની કારોબારીની નવી રચના કરવામાં આવી હતી,જેમાં નવા સભ્યોની નિમણુંક કરાઈ હતી. જેમાં અધ્યક્ષ તરીકે રોહિતભાઈ ચીકાણી, મંત્રી તરીકે અભયભાઈ ઢેઢી, સંગઠન મંત્રી તરીકે સતિષભાઈ પટેલ, સી.ઉપાધ્યક્ષ તરીકે વાત્સલ્યભાઈ મનીપરા, ઉપાધ્યક્ષ તરીકે નીતિનભાઈ નમેરા, ભરતભાઈ રાજકોટિયા ઉપાધ્યક્ષ, રાજેશભાઈ ગાંભવા, મહિલા ઉપાધ્યક્ષ તરીકે જીવતીબેન પીપળીયા, સહ સંગઠન મંત્રી તરીકે જયેશભાઈ વિરસોડિયા, સહ મંત્રી તરીકે ઘનશ્યામભાઈ ભોરણીયા, સહમંત્રી તરીકે પરેશભાઈ દુબરીયા, કોષાધ્યક્ષ તરીકે રમણિકભાઈ વડાવીયા, પ્રચાર મંત્રી તરીકે.અમિતભાઈ ફટાણીયા, કાર્યાલય મંત્રી તરીકે હર્ષદભાઈ લો અને જિલ્લા પ્રતિનિધિ તરીકે ડાયાલાલ બારૈયાની વરણી કરાઈ હતી. જે બાદ કારોબારીમાં સદસ્યતા અભિયાન માટે આયોજન કરવામાં આવ્યું હતું. અને તાલુકાના તમામ શિક્ષકો સુધી પહોંચી પંદર દિવસમાં સદસ્યતા અભિયાન પૂર્ણ કરવાની યોજના બનાવવામાં આવી હતી. આ ગુરુ વંદના કાર્યકમમાં મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, રાજ્યના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, કચરોલા મંત્રી કિરણભાઈ, પ્રચાર મંત્રી નિરવભાઈ બાવરવા ઉપસ્થિત રહયા હતા.