આજરોજ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શ્રી છત્તર પ્રાથમિક શાળામાં ‘એક પેડ માં કે નામ’ થીમ અંતર્ગત આશરે સોએક જેટલા છોડ શાળાના પટાંગણમાં વાવવામાં આવ્યા, છોડના રોપાને ટંકારા નર્સરીથી લાવવામાં તેમજ શાળામાં વાવવામાં મદદરૂપ બનનાર શિક્ષક ભૂંભરીયા ધર્મેન્દ્રભાઈ અને શાળાના પાંચેક વિદ્યાર્થીઓ મદદ રૂપ બન્યા હતા, આ તકે છોડ અને વૃક્ષો વાવવામાં મદદરૂપ બનનાર મિત્રોનો શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણીએ આભાર વ્યક્ત કર્યો હતો.