Friday, October 18, 2024
HomeGujaratમોરબીમાં અજાણ્યા વ્યક્તિને મોતને ઘાટ ઉતારનાર બે પૈકી એક હત્યારો ઝડપાયો:એક ની...

મોરબીમાં અજાણ્યા વ્યક્તિને મોતને ઘાટ ઉતારનાર બે પૈકી એક હત્યારો ઝડપાયો:એક ની શોધખોળ

મોરબી તાલુકાના પીપળી ગામથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તે બે મજૂરોએ અજાણ્યા યુવકની હત્યા કર્યાના બનાવમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જયારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ખોખરા હનુમાન જતા રસ્તાની બાજુમાં આવેલ ઇંટુના ભઠામાં ગત તા.૦૩/૦૩/૨૦૨૩ ના રાત્રીના સમયે એક અજાણ્યા યુવકે આવી ભઠામાં કામ કરતા મજુરો અશોક સુખાભાઇ કોળી (રહે. સુલતાનપુર તા.માળીયા(મી)) તથા જીતેશભાઇ સીતાપરા કોળી (રહે. થાન જી.સુરેન્દ્રનગર)ને કહેલ કે, ઇંટુના ભઠામાં મને કેમ મજુરી કામે રાખતા નથી તેમ કહી ઝગડો કરી મારા મારી કરવા લાગતા આરોપી મજૂરોએ મરણ જનાર અજાણ્યા પુરૂષના શરીરે પાવડાના હાથાથી આડેધડ ઘા મારી મારી નાખી, મરણ જનારની લાશને ખોખરા હનુમાન વાળા રસ્તા ઉપર નાખી આવ્યા હતા. જે બનાવમાં મોરબી તાલુકા પોલીસે આરોપી અશોક સુખાભાઈ શેખાણીની ધરપકડ કરી છે. જયારે અન્ય આરોપી જીતેશ સિતાપરાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!