દેશની સરહદ પર હાલની પરિસ્થિતિ વણસી રહી છે અને યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લો બોર્ડર નજીક આવેલો છે અને ભારત પાક વચ્ચે યુદ્ધ થાય અને વિપરીત પરિસ્થિતિ થાય તો લોકોની જાનમાલની રક્ષા માટે વહીવટી તંત્રની સાથે મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રૂપ આગળ આવ્યું છે. સંભવિત યુદ્ધ જેવી ઇમરજન્સી પરિસ્થિતિમાં તંત્રની ગાઈડલાઈન મુજબ યંગ ઇન્ડિયા ગ્રુપના ગૃપના એક હજાર યુવાનો લોકોની મેડિકલ સેવા, ભોજન, ફૂડ પેકેટ સહિતની તમામ રીતે મદદરૂપ થવા આગળ આવ્યા છે.
મોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપ વર્ષોથી રાષ્ટ્ હિતના કાર્યો કરે છે. દેશસેવાને વરેલું યંગ ઇન્ડિયા ગ્રૂપ હાલની યુદ્ધ જેવી પરિસ્થિતિમાં મોરબીવાસીઓને તમામ રીતે મદદરૂપ થવા મેદાને આવ્યું છે. હાલ દેશની સરહદે ભારત અને પાક વચ્ચે યુદ્ધની ગંભીર સ્થિતિનું સર્જન થયું છે. ત્યારે કપરા સંજોગોમાં રાહત અને બચાવ કાર્ય કરવા માટે મોરબીનું યંગ ઇન્ડીયા ગ્રુપ આગળ આવ્યું છે. જે અંગે યંગ ઇન્ડિયા ગ્રૂપના સંસ્થાપક ડો.દેવેન રબારીએ જણાવ્યું છે કે, રાષ્ટ્રહિત માટે કામ કરવાનો સમય આવી ગયો છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે પાકિસ્તાન સાથે ચાલતા ઘર્ષણ વચ્ચે આપણા સૈનિકો દેશનુ રક્ષણ કરી રહ્યા છે. હવે મા ભોમ ને આપણી જરૂર છે ત્યારે સૌ સાથે મળીને દેશ સેવા કરીએ. જે આપણું સૌભાગ્ય કહેવાશે. કોઈ પણ અસામાન્ય સ્થિતિ સર્જાય તો તેવા સમયે નાગરિક ધર્મ નિભાવવો જ જોઈએ. આ હેતુ સાથે વર્તમાન ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપે એક હજાર યુવક યુવતીઓને લોકોને મદદરૂપ થવા માટે તૈયાર કર્યા છે. અને આ યુવાનોના ગ્રૂપ પાડી વહીવટી તંત્રની ગાઈડલાઈન મુજબ લોકોને મદદરૂપ થશે. તેમજ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં બ્લેક આઉટ સહિતના સરકારના નિયમોની અમલવારી અને યુદ્ધમાં શુ શુ કરવું તે અંગે લોકોને જાગૃત કરાશે. આ ઉપરાંત યુદ્ધમાં જરૂર પડતી લોહીની જરૂરિયાત પૂરી પાડી મેડિકલ સેવા પણ આપવામાં આવશે. તેમજ અસરગ્રસ્તોને પૌષ્ટિક ભોજન અને ફૂડ પેકેટ પહોંચાડવા માટે પણ મોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપ તૈયાર છે. તેમ પણ જણાવ્યું છે…