Saturday, January 24, 2026
HomeGujaratમોરબીનાં શકત શનાળા ખાતે 'પંચ પરિવર્તન' કથાનું આયોજન

મોરબીનાં શકત શનાળા ખાતે ‘પંચ પરિવર્તન’ કથાનું આયોજન

મોરબીમાં વિદ્યાભારતી સંસ્થા દ્વારા ભારતમાતા મંદિર-બાવન શક્તિપીઠ ષક્ષ્મ પાટોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત આવતીકાલે ‘પંચ પરિવર્તન’ કથાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન, વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન તથા શ્રી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત દ્વારા ભારતમાતા મંદિર-બાવન શક્તિપીઠ ષક્ષ્મ પાટોત્સવ ઉજવણી પ્રસંગે ‘પંચ પરિવર્તન’ કથાનું આગામી તા.૨૫-૦૧-૨૦૨૬ ને રવિવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે શ્રી સરસ્વતી શિશુમંદિર-શકત શનાળા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ આયોજકો દ્વારા જણાવ્યું છે કે, “આપણને મળેલું ‘મનુષ્ય જીવન’ એ ઈશ્વરની અસીમ કૃપા છે. આપણું સુખી બનવું આપણા જ હાથમાં છે. ‘વાવો તેવું લણો’ અને ‘કરો તેવું પામો’ એ ન્યાયે આપણે કેટલીક જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવીએ અને સર્વત્ર સુખની સુવાસ ફેલાવીએ.” આ કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે વિજયભાઈ રાવલ (સંઘ અને આર્યસમાજના કાર્યકર્તા) ઉપસ્થિત રહેશે. તેમજ મુખ્ય મહેમાનમાં અરવિંદભાઈ વાંસદડિયા (પૂર્વ પ્રમુખ, મોરબી તાલુકા ભા.જ.પ.) ખાસ હાજરી આપશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!