Wednesday, June 4, 2025
HomeGujaratગુજરાતમાં પીટીસીમાં એડમીશન માટે વાલીઓ અને વિદ્યાથીઓ હેરાન પરેશાન:ડિજિટલ ઈન્ડિયાની વાતો વચ્ચે...

ગુજરાતમાં પીટીસીમાં એડમીશન માટે વાલીઓ અને વિદ્યાથીઓ હેરાન પરેશાન:ડિજિટલ ઈન્ડિયાની વાતો વચ્ચે લાઈનો લગાવી ઓફલાઇન ફોર્મ ભરવું ફરજિયાત!

સમગ્ર ગુજરાતમાં પી.ટી.સી. એડમીશન માટે ફોર્મ ભરવાનુ ચાલુ થઈ ગયું છે. હાલ ડીઝીટલ યુગમાં તમામ એડમીશન માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે. પરંતુ ડીઝીટલાઈઝેશન પણ એકમાત્ર PTC એવો કોર્સ છે જેમા ઓફલાઈન ફોર્મ ભરવાનુ અને દરેક કોલેજે કોલેજે રૂબરૂ જઈને ફોર્મ ભરવાનો તરઘડી નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે વાલીઓ અને વિદ્યાથીઓ એક કૉલેજથી બીજી કોલેજના ધક્કા ખાઇને હેરાન પરેશાન બન્યા છે. તેથી ગુજરાતમાં પીટીસી D.le.ed માં પ્રવેશ માટે જૂની સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રોસેસ કરવાની માંગ ઉઠી રહી છે.

- Advertisement -
- Advertisement -

હાલ સમગ્ર ગુજરાતમાં પી.ટી.સી. એડમીશન માટે ફોર્મ ભરવાનુ ચાલુ છે. હાલના ડીઝીટલ યુગમાં તમામ એડમીશન માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે પણ આટલા ડીઝીટલાઈઝેશન વચ્ચે પણ એકમાત્ર PTC એવો કોર્સ છે જેમા ઓફલાઈન ફોર્મ ભરવાનુ અને દરેક કોલેજે કોલેજે રૂબરૂ જઈને ફોર્મ ભરવાનો તરઘડી નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે બીચારા વાલીઓ અને વિદ્યાર્થીઓ 10 દિવસમા દોડી દોડીને કેટલી કોલેજમા જેને ફોર્મ ભરી શકશે ? તેવો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. તેમાં પણ ખાનગી કોલેજવાળાએ તો જાહેરાત આવ્યા પહેલા લાગતા વળગતાનઓને એડમીશન આપી દિધા છે. અને હવે કોઈના ફોર્મ જ સ્વિકારતા નથી. સરકારી, ગ્રાન્ટેડ કોલેજમા ફોર્મ તો સ્વિકારે છે. પરંતુ એડમીશન માટે વેઈટીંગ ઉપર વેઈટીંગ રાઉન્ડ બહાર પાડે છે. તેથી પારદર્શકતા કે મેરીટની જરાય ગેરન્ટી રહેતી નથી. સરવાળે ત્યા પણ લાગતા વળગતા ગોઠવાઈ જશે અને એક ગરીબ, મધ્યમવર્ગનો વાલી પોતાના દિકરી/દિકરાને શિક્ષક બનાવવાનો વિચાર કરતો રહિ જશે. ત્યારે વાલીઓ અને વિદ્યાથીઓ આક્રોશ સાથે કહી રહયા છે જે ખેડૂતને એક ખાતર કે બીયારણ લેવા માટે પણ ઓનલાઈન કરાવતી સરકાર શું આવડી મહત્વની ભાવી શિક્ષક બનવાની એડમીશન પ્રોસેસ ઓનલાઈન કે પારદર્શકતા સાથે ન કરાવી શકે ? વાલીઓ અને વિદ્યાર્થીઓ દસ દિવસમાં જઈ જઈને કેટલી કોલેજોમાં ફોર્મ ભરશે. ? હાલ વાલીઓ અને વિદ્યાર્થીઓ એક દિવસમાં માત્ર એક જ કોલેજમાં ફોર્મ ભરી શકે છે. પોતાના બાળકને એડમીશન માટે વધુમા વધુ કોલેજમા ફોર્મ ભરવા વાલીઓ બીચારા બેબાકળા બન્યા છે. જેથી વાલીઓ અને વિદ્યાથીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેથી દરેક ગેરરીતી રોકવાનો એક જ ઉપાય છે કે જુની સેન્ટ્રલાઈઝ એડમીશન પ્રોસેસ લાગુ કરવામાં આવે નહિતર ગરીબ વાલીઓ પીસાતા રહેશે અને લાગવગથી પીટીસી કરી ભાવી શિક્ષકો બનતા રહેશે. તેમ PTC એડમીશનથી તદન કંટાળેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ આપવીતી જણાવી રહ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!