પાટિદાર અનામત આંદોલન સમિતિ પાર્ટ ૨ હવે હવે શૈક્ષણિક મુદાઓ માંગણીઓ સાથે નવી લડત ની શરૂઆત કરશે જેની રૂપરેખા મોરબીમાં ૧૫ જૂનના રોજ મિટિંગ યોજી ઘડવામાં આવશે.
પાટિદાર અનામત આંદોલન સમિતિ પાર્ટ 2 હવે ફરીથી શિક્ષણ ક્ષેત્રે સુધારા માટે લડત ચલાવવા માટે સક્રિય થઈ છે.જેમાં પ્લે હાઉસથી પીએચડી સુધી ફ્રી માળખાકીય અને ટેકનોલોજીકલ સુવિધાની માંગ સાથે આ લડત શરૂ કરવામાં આવશે.જેને લઇને આગામી તા.૧૫ જૂનના રોજ મોરબીમાં મિટિંગ યોજી કમિટી જાહેર કરવામાં આવશે.મોરબીની લજાઈ વાંકાનેર રોડ પર જડેશ્વરની પાછળ આદેશ આશ્રમ ખાતે તા. ૧૫ ના જૂન ૨૦૨૫ ને રવિવારના રોજ સાંજે ૪ વાગ્યે મિટિંગ યોજવામાં આવશે અને આગામી કાર્યક્રમો અંગેની રૂપરેખા ઘડવામાં આવશે.