મોરબી કોંગ્રેસ દ્વારા આજ રોજ સામાકાંઠા પાસે આવેલ કેશરબાગ ખાતે આવેલ પંપીગ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં તેઓએ મુલાકાત દરમિયાન સરકારને આડેહાથ લેવામાં આવી હતી અને લોકોને વિતરણ કરવામાં આવતા દુર્ગંધ યુક્ત પાણીને લઈ અનેક સવાલો ઉઠાવ્યા હતા.
મોરબી કોંગ્રેસ દ્વારા આજ રોજ સામાકાંઠા પાસે આવેલ કેશરબાગ ખાતે આવેલ પંપીગ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં તેઓ વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ થયા હતા. અને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીં જે ભુગર્ભમાં પાણી સ્ટોર કરવાનું હોય તે ટાંકો અત્યંત જર્જરીત હાલતમાં જોવા મળ્યો હતો. તેમાં પણ અત્યંત દુર્ગંધ યુક્ત પાણી હતું.
ત્યાંથી નઝરબાગ પંપીગ સ્ટેશનની મુલાકાત લીધી ત્યા અધિકારીઓ સાથે વાત કરતા તેઓએ જાણવાં મૃળ્યું કે, ત્યાં મચ્છુ ડેમ પરથી રોજ લાખો લીટર પાણી આવે છે અને તેનું દરરોજ વિતરણ કરવામાં આવે છે. તેની પરિસ્થિતિ જોતાં લાગ્યું કે આ પાણી જન આરોગ્ય માટે હાનીકારક છે કારણ કે ત્યાં આવેલ બન્ને ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે, પાણીની ટાંકીમાં શેવાળ અને અન્ય કચરો પડ્યો છે.
તો આ તકે મહાનગરપાલીકાનાં અધિકારીઓને આડેહાથ લેતા કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબીની જનતા પાસેથી કરોડો રુપિયા ટેક્સ જે સ્વચ્છ પાણીનો લેવામાં આવે છે કે પછી ગંદકી વાળા પાણી નો..? મોરબીનાં સામાકાંઠાનાં અંદાજીત ૫૦,૦૦૦ થી વધુ લોકો આ પાણીનો ઊપયોગ કરી રહ્યા હોય ત્યારે તંત્ર દ્વારા આવી બેદરકારી શા માટે…? આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા લેખીતમાં ઊચ્ચ કક્ષાએ પણ આ અંગે રજૂઆત કરવામાં આવશે.