Tuesday, September 17, 2024
HomeGujaratઆવતીકાલે મોરબીનાં ૧૧ કેવી ભાદિયદ ફીડર વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે.

આવતીકાલે મોરબીનાં ૧૧ કેવી ભાદિયદ ફીડર વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે.

મોરબી શહેરનાં પી.જી.વી.સી.એલ.નાં મોરબી શહેર-૨ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ભાદિયદ  ફીડરમાં નવા કામની કામગીરી તથા  મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી સુરક્ષાના કારણોસર વીજ કાપ મુકવાની જરૂર રહે છે, જેથી આ વિસ્તારના ફીડરમાં આવતીકાલે સવારે ૦૭:૦૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી વીજ કાપ રહેશે.

- Advertisement -
- Advertisement -

પી.જી.વી.સી.એલ.નાં જણાવ્યા અનુસાર, આગામી તા. ૧૯.૦૪.૨૦૨૩ના બુધવારના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૨ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ભાદિયદ  ફીડર સવારે ૦૭:૦૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં આ ફીડરમા આવતા સો ઓરડી, માળિયા વનાલિયા, શક્તિ સોસા., ચામુંડા નગર, વરિયા નગર, ગાંધી સોસા., સાયન્સ કોલેજ,ઉમિયા નગર વગેરે વિસ્તારો તથા આસપાસ ના વિસ્તારોમા પાવર સપ્લાય બંધ રહેશે. તેમ પી.જી.વી.સી.એલ.નાં સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!