Tuesday, September 17, 2024
HomeGujaratઆવતીકાલે મોરબીનાં ૧૧ કેવી ન્યુ બસસ્ટેન્ડ ફીડરમાં વીજ પુરવઠો ખોરવાશે

આવતીકાલે મોરબીનાં ૧૧ કેવી ન્યુ બસસ્ટેન્ડ ફીડરમાં વીજ પુરવઠો ખોરવાશે

મોરબી શહેરની પી.જી.વી.સી.એલ.ની મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી ન્યુ બસસ્ટેન્ડ ફીડરની નવી લાઈનકામની કામગીરી તેમજ ફીડર સમારકામની કામગીરી હાથ ધરવાની હોવાથી સુરક્ષાના કારણોસર વીજ કાપ મુકવાની જરૂર રહે છે, જેથી આ વિસ્તારના ફીડરમાં આવતીકાલે સવારે૦૭:૦૦ વાગ્યા થી બપોરના ૦૧:૩૦ વાગ્યા સુધી વીજ કાપ રહેશે.

- Advertisement -
- Advertisement -

પી.જી.વી.સી.એલ.નાં જણાવ્યા અનુસાર, આવતીકાલે તા. ૧૨.૦૪.૨૦૨૩ ના બુધવારના રોજ નવી લાઈનકામની કામગીરી તેમજ ફીડર સમારકામની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી ન્યુ બસસ્ટેન્ડ ફીડર સવારે ૭:૦૦ વાગ્યા થી બપોરના ૦૧:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં હાઉસીંગ બોર્ડ(શનાળા રોડ), ઉમિયા નગર, જીઆઇડીસી, ચિત્રકૂટ, પંચવટી, સારસ્વત, ક્રીષ્ના સોસાયટી, ગ્રીન લેન્ડ પાર્ક, રાધા પાર્ક, નવા બસ સ્ટેન્ડની પાછળ નો વિસ્તાર, છાત્રાલય રોડ અને નવયુગ સ્કુલ ની આજુબાજુ નો વિસ્તાર,સુપર માર્કેટ, માધવ માર્કેટ, વ્રૂંદાવન પાર્ક, વિઠ્ઠલનગર, યદુનંદન ૧ થી ૩ જેવા વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. તેમ પી.જી.વી.સી.એલ.નાં સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!