Friday, October 18, 2024
HomeGujaratઆગામી શુક્રવારે મોરબીનાં ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે; મેન્ટેનન્સ કામગીરીને ધ્યાને લઇ...

આગામી શુક્રવારે મોરબીનાં ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે; મેન્ટેનન્સ કામગીરીને ધ્યાને લઇ લેવાયો નિર્ણય

મોરબી શહેરનાં પી.જી.વી.સી.એલ.નાં મોરબી શહેર-૨ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ગોપાલ ફીડરમાં મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી સુરક્ષાના કારણોસર વીજ કાપ મુકવાની જરૂર રહે છે, જેથી આ વિસ્તારના ફીડરમાં આગામી શુક્રવારે સવારે સવારે ૦૭:૦૦ થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી વીજ કાપ રહેશે.

- Advertisement -
- Advertisement -

પી.જી.વી.સી.એલ.નાં જણાવ્યા અનુસાર, આગામી તા. ૦૭.૦૪.૨૦૨૩ના શુક્રવાર રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૨ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ગોપાલ ફીડર સવારે ૦૭:૦૦ થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં રોટરી નગર, રિલીફ નગર, અરુણોદય નગર, વિદ્યુત નગર, જનકલ્યાણ નગર, અનંત નગર, ગિરિરાજ નગર, ગોપાલ સોસા, હરીપાર્ક વિદ્યુત નગર, સરસ્વતી સોસા, વર્ધમાન નગર,વિકાસ પાર્ક વગેરે વિસ્તારો તથા આસપાસ ના વિસ્તારોમા પાવર સપ્લાય બંધ રહેશે. તેમ પી.જી.વી.સી.એલ.નાં સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!