Friday, January 30, 2026
HomeGujaratટંકારાની કાયાપલટની તૈયારી: ₹18.40 કરોડના ખર્ચે ભુગર્ભ ગટર અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને...

ટંકારાની કાયાપલટની તૈયારી: ₹18.40 કરોડના ખર્ચે ભુગર્ભ ગટર અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને મંજુરી

ધારાસભ્ય દેથરીયાની સતત ટંકારા માટે ખેવના અને ચિફ ઓફિસરની ચિવટ થી શહેરમાં યુધ્ધના ધોરણે વિકાસને વેગ

- Advertisement -
- Advertisement -

ટંકારા: રાજ્ય સરકાર દ્વારા ટંકારા નગરપાલિકાના વિકાસ માટે ₹18.40 કરોડની મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા શહેરની ડ્રેનેજ સિસ્ટમને સંપૂર્ણપણે આધુનિક બનાવવામાં આવશે, જેનો સીધો લાભ શહેરના નાગરિકો, ખેડૂતો અને સ્થાનિક ઉદ્યોગોને મળશે.

પ્રોજેક્ટના મુખ્ય પાસાઓ અને આયોજન:

બાકી રહેલા વિસ્તારોમાં લાઈનનું નેટવર્ક: ટંકારાના મોટાભાગના વિસ્તારોમાં ગટર લાઈન નખાઈ ગઈ છે, પરંતુ જે સોસાયટીઓ કે અંતરિયાળ વિસ્તારો બાકી રહી ગયા છે, ત્યાં આ નવી ગ્રાન્ટમાંથી પ્રાથમિકતાના ધોરણે પાઈપલાઈન નાખવામાં આવશે.

આધુનિક પમ્પિંગ સ્ટેશન: ગટરના પાણીના નિકાલ માટે પમ્પિંગ સિસ્ટમ સૌથી મહત્વની છે. જૂના પમ્પિંગ સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવશે જેથી ચોમાસા દરમિયાન કે વધુ વપરાશ વખતે ગટર ઉભરાવાની સમસ્યા ન રહે.

સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અને સ્ટોરેજ: શહેરનું ગંદુ પાણી સીધું નદી કે વોકળામાં વહાવવાને બદલે તેને ફિલ્ટર કરવા માટે અત્યાધુનિક પ્લાન્ટ બનાવવામાં આવશે. શુદ્ધ થયેલા પાણીના સંગ્રહ માટે મોટા સ્ટોરેજ યુનિટ્સ બનાવવાનું પણ આયોજન છે.

આ પ્રોજેક્ટથી થનારા મોટા ફાયદા:

ખેતી અને સિંચાઈમાં નવો આયામ: ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ થયેલું પાણી નકામું વહાવી દેવાને બદલે પાઈપલાઈન દ્વારા ખેતરો સુધી પહોંચાડવામાં આવશે. આ પાણી પોષક તત્વોથી ભરપૂર હોવાથી ખેડૂતોને ઉનાળામાં પણ સિંચાઈની સુવિધા મળશે અને રાસાયણિક ખાતરનો વપરાશ ઘટશે.

ઔદ્યોગિક વપરાશ અને પાલિકાની આવક: ટંકારા અને આસપાસના ઉદ્યોગોને પ્રોસેસિંગ માટે મોટા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. પાલિકા આ શુદ્ધ કરેલું પાણી ઉદ્યોગોને વેચી શકશે, જેનાથી નગરપાલિકાની આર્થિક આવકમાં વધારો થશે અને વિકાસના બીજા કામો માટે ભંડોળ મળશે.

રોગચાળા પર નિયંત્રણ:

અન્ડરગ્રાઉન્ડ ગટર અને પમ્પિંગની સુવિધાથી ખુલ્લી ગટરો અને ગંદા પાણીના ભરાવા બંધ થશે. મચ્છરોનો ઉપદ્રવ ઘટતા ડેન્ગ્યુ, મેલેરિયા અને ટાઈફોઈડ જેવા રોગો પર આપોઆપ લગામ આવશે.

ભૂગર્ભ જળની શુદ્ધતા: ગંદુ પાણી જમીનમાં ઉતરતું અટકશે, જેને કારણે શહેરના કુવા અને બોરના પાણીની ગુણવત્તા લાંબા ગાળે સુધરશે અને પ્રદૂષણ મુક્ત પર્યાવરણનું નિર્માણ થશે.

આ પ્રોજેક્ટ ટંકારા માટે માત્ર ગટર લાઈનનું કામ નથી, પરંતુ ‘વેસ્ટ માંથી બેસ્ટ’ બનાવી શહેરને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. જેના માટે ટંકારા ધારાસભ્ય શ્રી દેથરીયાની સતત વિકાસને વેગ આપવા માટેની ખેવના અને ચિફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા ચિવટ ભેર કામગીરી ને મંજુરીની મોહર મારતા વહીવટદાર પિ એન ગોર ટંકારા મામલતદાર સહિતના નગરજનો એ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ઉપ મુખ્યમંત્રી હર્ષ સંધવી કનુભાઈ દેસાઈ દર્શનાબેન વાધેલા મહેશ જાની આર સી એમ રાજકોટ નો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!