Friday, September 20, 2024
HomeGujaratવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વાગતના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો:મોરબી જિલ્લા વહીવટી તંત્રના...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વાગતના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો:મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ વર્ચ્યુલી જોડાયા

આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ જણાવ્યું હતું કે’સ્વાગત’ના વિચારબીજ પર આધારિત ‘પ્રગતિ’ એ દેશના ઝડપી વિકાસમાં પાછલા નવ વર્ષમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ એ જણાવ્યું હતું કે સ્વાગત કાર્યક્રમ સતત બે દાયકાથી લોકોની સમસ્યાઓના ત્વરિત નિરાકરણનો સફળ સેવાયજ્ઞ છે.

- Advertisement -
- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ર૦૦૩માં લોકપ્રશ્નો – પ્રજાવર્ગોની રજૂઆતોના ટેક્નોલોજીના ઉપયોગથી નિવારણ માટે શરૂ કરાવેલા ‘‘સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’’ સ્વાગતને સફળતાપૂર્ણ ર૦ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ‘સ્વાગત’ના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.  વડાપ્રધાનના આ પ્રેરણા સંદેશનું ‘બાયસેગ’ના માધ્યમથી ગ્રામ્ય કક્ષા સુધી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.વડાપ્રધાનએ ‘સ્વાગત’ની આ બે દાયકાની સફળતામાં નિષ્ઠાપૂર્વકનો પરિશ્રમ કરનારા અને પ્રજાપ્રશ્નોના નિવારણમાં સહયોગી બનેલા કર્મયોગીઓ સહિત સૌને અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાનએ આ તકે જણાવ્યું કે, સરકારનો વ્યવહાર એવો હોય કે સામાન્ય માનવી પોતાની વાત-રજૂઆત સહજતાથી સાંજા કરી શકે અને સરકારને દોસ્ત સમજે તેમજ બે દાયકાની સ્વાગતની આ સફળતા ઇઝ ઓફ લિવીંગ અને રીચ ઓફ ગવર્નન્સ દ્વારા ગુડ ગવર્નન્સના ગુજરાત મોડેલની એક વૈશ્વિક પહેચાન બની ગઇ છે.

‘સ્વાગત’ને મળેલા યુ.એન એવોર્ડ, ઇ-ગવર્નન્સ એવોર્ડ અને ભારત સરકારના ગોલ્ડ એવોર્ડ જેવા પુરસ્કારોની ભૂમિકા આપતાં ઉમેર્યુ કે, સફળતાનો સૌથી મોટો એવોર્ડ તો એ છે કે અમને ‘સ્વાગત’ દ્વારા લાખો લોકોની સમસ્યા, પીડા, દુવિધા દૂર કરવાની સેવા તક મળી છે.વડાપ્રધાનએ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા સ્વાગત કાર્યક્રમોમાં આવતી રજુઆતોના નિવારણ સાથે રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીએ રાવ-ફરિયાદ કાને ધરવાની અને ત્વરિત નિરાકરણની જવાબદારી સંભાળી ‘સ્વાગત’ ને સૌ માટે સહજ બનાવ્યો છે તેની પણ વિશેષતાઓ વર્ણવી હતી.

વડાપ્રધાનએ વધુમાં કહ્યું કે આ ‘પ્રગતિ’ કાર્યક્રમને પરિણામે પાછલા ૯ વર્ષોમાં વિકાસ કામોની ગતિમાં પ્રગતિએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. લોકતંત્રની સફળતાનું મહત્વપૂર્ણ ત્રાજવું એટલે પબ્લિક ગ્રીવન્સીસ રિડ્રેસલ સિસ્ટમ સમગ્ર દેશમાં દાયકાઓ સુધી સરકારોમાં એવી માન્યતા હતી કે બની-બનાવેલી નીતિઓના આધારે જ વ્યવસ્થાઓ ચાલતી એનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાનએ ગૌરવ સહ જણાવ્યું કે ગુજરાતે ‘સ્વાગત’ના માધ્યમથી આ આખીયે સોચ બદલવાનું કામ કર્યુ છે. વડાપ્રધાનએ ‘સ્વાગત’નું વિચારબીજ બે દાયકામાં ગુડ ગવર્નન્સનું વટવૃક્ષ બન્યું છે અને આવનારા દિવસોમાં હજારો નવા ઇનોવેશન્સને જન્મ આપનારી એક સુદ્રઢ વ્યવસ્થા બની જશે તેવો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો.તેમણે ‘સ્વાગત’ના ર૦૦૩ના વર્ષના પ્રથમ રાજ્ય સ્વાગતના લાભાર્થી સહિતના લાભાર્થીઓ સાથે વાતચીત કરીને સ્વાગતની સાર્થકતા-યથાર્થતા પણ લોકો સમક્ષ મૂકી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમયથી બે ડગલા આગળ ચાલી, કંઈક નવું જ વિચારી પ્રજાના હિતમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો તે વડાપ્રધાનશ્રીની ખાસિયત છે. ૨૦૦૩માં જ્યારે દેશમાં ઓનલાઇન ફરિયાદ નિવારણ માટેની ટેકનોલોજી વિશે વાતો થતી હતી ત્યારે વડાપ્રધાનએ સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરાવી દીધો હતો.મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સતત બે દાયકાથી સ્વાગત કાર્યક્રમ લોકોની સમસ્યાઓના ત્વરિત નિરાકરણ કરવાનો સફળ સેવાયજ્ઞ બની ગયો છે. એટલું જ નહીં, નાગરિકોને યોજનાકીય લાભો મળ્યા છે અને તેમના જીવનમાં ઉજાસ પથરાયો છે. સામાન્ય માનવીની રજૂઆતો- સમસ્યાના સમાધાન માટેની ટેકનોલોજી આધારિત આ વ્યવસ્થાને વૈશ્વિક પ્રતિષ્ઠા મળી છે.આ તકે મુખ્યમંત્રી એ સ્વાગત કાર્યક્રમને મળેલા યુનાઇટેડ નેશન્સના ઇન્ટરનેશનલ એવોર્ડ, ભારત સરકારના નેશનલ એવોર્ડ સહિતના ગૌરવ પુરસ્કારનો ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ સૌને આદરણીય વડાપ્રધાનશ્રીના પદચિન્હો ઉપર ચાલી ગુજરાતને સુશાસનનું અને ફરિયાદ નિવારણનું વર્લ્ડ-ક્લાસ મોડલ બનાવવા સંકલ્પ લેવાનો અનુરોધ કર્યો હતો.

સ્વાગતના બે દાયકા પૂર્ણ થવા અવસરે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં યોજેલા સ્વાગત સપ્તાહને પણ વ્યાપક જનપ્રતિસાદ મળ્યો છે.સ્વાગત સપ્તાહ દરમ્યાન રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતમાં કુલ ૪૩ હજાર ઉપરાંત રજૂઆતો મળી હતી તેમાંથી ૯૩ ટકા એટલે કે ૪૦ હજાર પાંચસો ઉપરાંત સમસ્યાઓનું નિવારણ આવ્યું છે . મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગુરૂવાર તા.ર૭ મી એપ્રિલે રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો તેમાં મળેલી રજૂઆતો પણ મુખ્યમંત્રીશ્રીએ કાને ધરીને સંબંધિત વિભાગોને-જિલ્લાઓને ત્વરિત નિવારણ માટે માર્ગદર્શન આપ્યું હતું.

આ તકે મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, અધિક નિવાસી કલેકટર એન. કે. મુછાર, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા,નાયબ મામલતદાર સુનિલ મેસરીયા, તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ આ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી  યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં જોડાયા હતા.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!