પંજાબ ના PWD તેમજ ઊર્જા મંત્રી હરભજનસિંઘ ETO મોરબી મુકામે પહોચ્યા હતા ત્યારે આજરોજ તેમને મોરબી ના પાયાના પ્રશ્નો વિશે જાણકારી મેળવી અને સિરામિક ઉદ્યોગ વિશે ચર્ચા વિચારણા કરી હતી.
 
કચ્છ લોકસભા ઉપપ્રમુખ પંકજ રાણસરિયા ઇલેક્શન કો ઓર્ડીનેટર રાજેશ કાલરીયા સંગઠન મંત્રી રાજુભાઈ હરણીયા તેમજ કેતન ધમસાનીયા સહિત ના આગેવાનોની ઉપસ્થિતમાં આજરોજ પંજાબ ના PWD તેમજ ઊર્જા મંત્રી હરભજનસિંઘ ETO મોરબી મુકામે પહોચ્યા હતા બાદ તેમને મોરબીના પાયાના પ્રશ્નો વિશે ચર્ચા વિચારણા કરી હતી. ઉપરાંત સિરામિક ફેક્ટરી વિશે પણ ચર્ચા કરી હતી ઉપરાંત તેમને સિરામિક ફેકટરીની મુલાકાત કરી હતી અને પ્રોડક્ટ વિશે જાણકારી મેળવી હતી.


                                    






