Friday, October 18, 2024
HomeGujaratશ્રી રામદેવપીર મંદિરના લાભાર્થે રફાળેશ્વર ગામ ડે-ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન

શ્રી રામદેવપીર મંદિરના લાભાર્થે રફાળેશ્વર ગામ ડે-ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન

શ્રી રામાપીર મિત્ર મંડળ દ્વારા શ્રી રામદેવપીર મંદિરના લાભાર્થે રફાળેશ્વર ગામ ડે-ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન કરી સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરવાના હેતુથી ક્રિકેટથી સમાજના યુવાનોમાં એક મેકની ભાવના અને પરસ્પરની લાગણી ફેલાય તે માટે કરાયું છે.

- Advertisement -
- Advertisement -

શ્રી રામદેવપીર મંદિરના લાભાર્થે રફાળેશ્વર ગામ ડે-ક્રિકેટ ટુનામેન્ટનું આગામી તા.ર-૬-૨૦૨૩ના રોજ આયોજન કરાયું છે. જેના શ્રી રામાપીર મિત્ર મંડળ દ્વારા નિયમો અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, આ ટુનામેન્ટમાં દરેક મેચ ૧૦ ઓવરનો રહેશે. આ ટુનામેન્ટમાં ફાઈનલ મેચ ૧૨ ઓવરની રહેશે. આ ટુનામેન્ટમાં અમ્પાયર નિર્ણય આખરી રહેશે. LBW સિવાયના તમામ નિયમો લાલુ પડશે. પહેલી ૩ ઓવર પાવર પ્લે રહેશે. કોઈ પણ બાબતમાં આયોજકનો નિર્ણય આખરી રહેશે. તેમ રામાપીર મિત્ર મંડળ દ્વારા નિયમો અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું. ત્યારે ઉલ્લેખનીય છે કે, ટુનામેન્ટમાં રમવા માંગતી ટીમને ૩૫૦૦ રૂપિયા એન્ટ્રી ફી ભરવાની રહેશે. તેમજ ટુનામેન્ટ અંગે વધુ માહિતી મેળવવા મયુરભા ગઢવી (બાબભા) મો.96873 40001 નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!