Friday, October 18, 2024
HomeGujaratમોરબીના રફાળેશ્વર ગામે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરનાર ઈસમ અને ધમકી...

મોરબીના રફાળેશ્વર ગામે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરનાર ઈસમ અને ધમકી આપતા તેના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીના રફાળેશ્વર ગામે સગીરાને લગ્ન ની લાલચ આપી સગીરા સાથે પતિ તરીકે રહી છેલ્લા પાંચ વર્ષથી દુષ્કર્મ આચરનાર ઇસમ અને સગીરાને ધમકી આપનાર તેના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -

જેની વિગત મુજબ મોરબીમાં રહેતી સગીરાને રફાળેશ્વર ગામે રહેતા પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા સાથે પાંચ વર્ષ પહેલા ફ્રેન્ડશીપ થઈ હતી અને આરોપી દ્વારા લગ્ન કરવાના વચનો પણ અપાયા હતા તે સમયે ભોગબાનનાર સગીર વયની હતી અને ત્યારે પણ અનેક વાર શરીર સબંધ બાંધ્યા હતા જે બાદ સગીરા ને ૧૮ વર્ષ પુરા થયા બાદ પણ અવાર નવાર શરીર સબંધ બાંધી પતિ તરીકે સાથે રહેતો હતો જે બાદ ભોગબાનનાર દ્વારા આજથી ત્રણેક માસ અગાઉ આરોપી ને લગ્ન કરવાનું કહેતા ઝગડો કરી જતો રહ્યો હતો અને તે ક્યાં છે તેવું પુછવા આરોપી ના ભાઈ જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા ને પૂછતાં તેને ફરિયાદીને ગાળો આપી ફોન નહિ કરવા ધમકી આપતા ભોગબનનાર દ્વારા બન્ને આરોપીઓ પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!