મોરબીમાં આજે મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ છેલ્લા બે દિવસ મેઘરાજાએ તોફાની ઈનિંગ રમી હતી અને આ ઈનિંગમાં તંત્રની પોલ પણ ખુલી હતી.
ત્યારે મોરબી નજીક આવેલ નાની વાવડી ગામ કે જે હવે મહાનગરપાલિકા માં સમાવિષ્ટ થયું છે તે ગામમાં આવેલ શ્રી હરિપાર્ક સોસાયટી માં વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.આજે મેઘવિરામ છે છતાં આ સોસાયટીના લોકો ને ઘરની બહાર નીકળવા માટે પણ વિચારવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.ચારે બાજુ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે ત્યારે આ જ રીતે જો પાણી ભરેલું રહેશે તો આગામી દિવસોમાં આ પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધશે અને બીમારીઓ પણ પગપેસારો કરે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.મનપા તંત્ર આ મામલે કાર્યવાહી કરે અને પાણીનો નિકાલ કરે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે