Friday, May 30, 2025
HomeGujaratરાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને...

રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને DAP ખાતરનો જથ્થો ફાળવવા રજૂઆત કરાઈ

રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ખેડૂતો ને D.A.P ખાતર નો પુરતો જથ્થો ફાળવવા બાબતે રજૂઆત કરી છે. તેમજ આગામી ટૂંક સમયમાં ચોમાસુ નજીક આવી રહ્યું છે. ત્યારે ખેડૂતોને D.A.P ખાતરની ઘટ ન પડે તેના માટે વહેલી તકે વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે.

- Advertisement -
- Advertisement -

શ્રી રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ખેડૂતો માટે DAP ખાતરનો પૂરતો જથ્થો ફાળવવા બાબતે રજૂઆત કરી છે. વધુમાં જણાવ્યું છે કે હાલમાં ખેડૂતો ચોમાસું પાક માટેની તૈયારીમાં વ્યસ્ત છે. આગામી ૧૫ દિવસમાં ચોમાસું બેસી જશે સારા વરસાદ થવાની આશા છે. તેવા સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ ખેડૂતો કે જેને જગત નો તાતા કહેવામાં આવે છે તે હાલ પરેશાન છે. કારણકે D.A.P. ખાતર મળતું નથી. ખેડૂતો એક કે બે પાંચ બેગ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકી રહ્યા છે. રાજ્યના કૃષિ મંત્રીએ કહ્યું હતું કે ખાતર ની ઘટ પાડવા દેવામાં નહી આવે. પરંતુ આ વાદા પોકળ સાબિત થયા છે તેથી તાત્કાલિક D.A.P. ખાતર નો પુરતો જથ્થો ખેડૂતોને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. જો તેમ કરવામાં નહી આવે તો દિવસ આઠ બાદ ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલનાત્મક કાર્યકર્મ આપવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!