ગુજરાતના ડી.જી.પી. દ્વારા પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ ફરારી આરોપીઓને પકડવા સ્પે. ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ કામગીરી કરતા દરમિયાન મોરબી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલમાં દુષ્કર્મ/મર્ડરના ગુનામાં આજીવન સજા ભોગવી રહેલ આરોપી પેરોલ રજા ઉપરથી છેલ્લા ૨ વર્ષથી ફરાર થયેલ હોય જે આરોપીને બિહારના નવાદા જિલ્લા ખાતેથી પકડી પાડી રાજકોટ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૯/૨૦૧૮ આઇ.પી.સી. કલમ-૩૬૩,૩૭૬(૨),૩૭૬એબી, ૩૦૨ તથા પોકસો એકટ કલમ ૩(એ),૪,૬,૧૮ વિ.મુજબના ગુન્હાના પાકા કામનો આરોપી સુરજકુમાર ગોરેલાલ ચૌહાણ (રહે. પ્લેટીનિયમ બ્યુટી કંપની કવાટર્સ તા.જી.મોરબી મૂળ રહે જોરાવર બિધા તા.નારદીગંજ જી.નવાદા (બિહાર)) રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે હોય જે આરોપી નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના સ્પે.ક્રિમી.એપ્લી.નં.૨૮૮૩ /૨૦૨૩ તા.૧૫/૦૩/૨૦૨૩ ના આદેશાનુસાર તા.૦૧/૦૬/૨૦૨૩ થી ૨૧ દિવસની પેરોલ રજા મેળવી જેલ મુકત થયેલ જે આરોપીને તા.૨૩/૦૬/૨૦૨૩ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ આરોપી પેરોલ રજા પરથી પરત હાજર થયેલ નહી અને ફરાર થયેલ હોય જે કેદીને ખાનગી બાતમી આધારે તા.૩૦/૦૪/૨૦૨૫ ના રોજ બિહારનાં નવાદા જિલ્લાના બાઘી બરડીહા ઠેકાપર ગામ ખાતેથી પકડી પાડી હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં મોરબી એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડયા, પોલીસ ઇન્સ્પેકટર વી.એન.પરમાર તથા પોલીસ સબ ઇન્સ્પેકટર બી.ડી.ભટ્ટ તેમજ એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ મોરબી સ્ટાફના માણસો તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અજયભાઇ લાવડીયા જોડાયા હતા.