Tuesday, September 17, 2024
HomeGujaratરાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ મોરબી નગરનું એકત્રી કરણ તથા પથ સંચલન યોજાયું

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ મોરબી નગરનું એકત્રી કરણ તથા પથ સંચલન યોજાયું

તા.૧/૧/૨૦૨૩ રવિવારના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી નગર નું જે. એ.પટેલ મહિલા કોલેજ ખાતે બપોરે ૩ થી ૬ ના સમયમાં એકત્રીકરણ તથા પથ સંચલન યોજાયું. સૌરાષ્ટ્ર પ્રાંતના શારીરિક પ્રમુખ દિપકભાઈ ગમઢા તથા સહ સેવા પ્રમુખ હસમુખભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વયંસેવકોએ દંડના વિવિધ પ્રયોગ, નિયુદ્ધ વિગેરેના સુંદર પ્રયોગ કરેલ.

- Advertisement -
- Advertisement -

શારીરિક પ્રયોગો બાદ મહિલા કોલેજ, જી.આઇ.ડી.સી ., શનાળા રોડ, ડો. ભાડેસિઆ હોસ્પિટલ થઈને મહિલા કોલેજ રૂટમાં સ્વયંસેવકોનું અનુશાસિત પથ સંચલન ઘોષના તાલ સાથે નીકળેલ જેને નગરજનોએ સુંદર પ્રતિસાદ આપેલ. આ પથ સંચલનમાં અંદાજે ૧૫૦ સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ.
ત્યારબાદ રાજકોટ વિભાગ પ્રચારક રામસિંહભાઈ બારડે મનનીય વક્તવ્યમાં જણાવેલ કે હિન્દુ સંગઠન જેમ જેમ મજબૂત બનશે તેમ તેમ રાષ્ટ્ર પરમ વૈભવને પામશે અને તે માટે સંઘ કાર્યનો નિરંતર વિકાસ થાય તે દિશામાં તન, મન અને ધનથી કાર્ય કરવાની હાકલ કરી હતી.

આ ગૌરવ યુક્ત કાર્યક્રમમાં મોરબી જિલ્લા સંઘ ચાલક લલિતભાઈ ભાલોડિયા, રાજકોટ વિભાગ સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારા, મોરબી જિલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલિયા, સહ કાર્યવાહ જસ્મિનભાઈ હિંસુ મોરબી નગર કાર્યવાહ ડો. જયદીપભાઈ કંઝારિયા, સહ કાર્યવાહ દિલીપભાઈ કડેચા, જીતુભાઈ વિરમગામા, પ્રચારક સુરેશભાઈ ગોરસિયા વિ.નું પ્રેરણાત્મક માર્ગદર્શન મળેલ . આ કાર્યક્રમમાં અંદાજે ૨૩૦ સ્વયંસેવક ઉપસ્થિત રહેલ .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!