ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉંચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. દેશમાં કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જયારે મોરબીમાં કોરોનાની રફતાર ધીમી પડી હોય તેવું લાગી રહ્યું છે. આજે સતત બીજા દિવસે કોરોનાંના 10થી ઓછા કેસ નોંધાયા છે.
મોરબી આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે મોરબી જિલ્લામાં 375 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 09 શંકાસ્પદ લોકો પોઝીટીવ આવ્યા છે. જો કે આજે 23 દર્દીઓએ ડિસ્ચાર્જ પણ મેળવ્યો છે. જેમાં મોરબી તાલુકાના ગ્રામ્યમાં 05 અને શહેરી વિસ્તારમાં03 તો હળવદ ગ્રામ્ય વિસ્તારમાં 01 પોઝીટીવ કેસ નોંધાયો છે. જયારે વાંકાનેર, ટંકારા અને માળીયા તાલુકામાં એક પણ કોરોનાનો પોઝીટીવ કેસ નથી નોંધાયો. જયારે આજે મોરબીના 19, વાંકાનેરના 03 અને ટંકારાનો 01 દર્દી મળી કુલ 23 દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જયારે નવા પાંચ કેસ આવતાની સાથે મોરબી જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 74 પર પહોચ્યો છે.