Friday, October 18, 2024
HomeGujaratપરણીતાઓમાં વધતા આપઘાતના બનાવો : એક જ દિવસમાં બે મહિલાઓએ મોતને વહાલું...

પરણીતાઓમાં વધતા આપઘાતના બનાવો : એક જ દિવસમાં બે મહિલાઓએ મોતને વહાલું કર્યું

મોરબી સહીત સમગ્ર ગુજરાતમાં યુવાનો અને યુવતીઓમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં બે મહિલાઓના આપઘાતના બનાવો નોંધાયા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં સાપર ગામની સીમમા આવેલ ગ્રીન્ટોન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટમા પાવડીયારી પાસે રહેતા પુજાબેન રવીભાઇ મંડી નામના પરણિત મહિલાએ ગઈકાલે અગમય કારણોસર કોઇ પણ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને લઇ તેને પ્રાથમિ સારવાર માટે જેતપરની CHC હોસ્પિટલ ખાતે લઇ ગયેલ હતા. જ્યાં હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ચાલુ સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજતા ફરજ પર હાજર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, મહિલાના ૮ માસ પૂર્વે જ લગ્ન થયા હતા. જયારે અન્ય બનાવમાં મોરબીના ભડીયાદ રોડ હરીઓમ સોસાયટીમાં રહેતી વનિતાબેન જીતેન્દ્રભાઇ વિરાણી નામની મહિલાએ ગઈ કાલે કોઇ કારણો સર પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ જતા તેમના પરિવારજનો દ્વારા તેમને સારવારમાં મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા અને સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!