Friday, July 18, 2025
HomeGujaratમાળીયા મિયાણાના ગ્રામ્ય વિસ્તારોમાં નાળા કોઝવે તેમજ પુલ બનાવવા ૧૧ કરોડના કામ...

માળીયા મિયાણાના ગ્રામ્ય વિસ્તારોમાં નાળા કોઝવે તેમજ પુલ બનાવવા ૧૧ કરોડના કામ મંજૂર

આગામી સમયમાં માળીયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નવા પુલ,કોઝવે તેમજ નાળા બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે.જેને લઇ મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆત બાદ માર્ગ મકાન વિભાગમાં નવા પુલ બનાવવા માટે રૂ.૧૧ કરોડના જોબ નંબર ફાળવવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆત બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા માળીયા તાલુકામાં રાસંગપર-મેઘપર-દેરાળા-મહેન્દ્રગઢ રોડનો એક ભાગ, રાસંગપર-મેઘપર-દેરાળા-મહેન્દ્રગઢનો બીજો ભાગ, ખાખરેચી-વેણાસર રોડ, માણાબા-સુલતાનપુર-ચીખલી રોડ, એસ.એચ.થી ખીરસરા એપ્રોચ રોડ (7) સ્ટેટ હાઇવે થી નાના દહીસરા એપ્રોચ રોડ તથા મોરબી તાલુકાના રવાપર(નદી) થી સાદુળકા રોડ એમ કુલ 8 રોડના હયાત કોઝવે તથા સાંકળ નાળા પર નવા પુલ બનાવવાની કામગીરી માટે રૂ. 11.00 કરોડના જોબ નંબર ફાળવાયા છે. આ રોડ પર બોક્સ કલવર્ટ અને બોક્સ સેલ બનાવાથી વાહન ચાલકોને ખૂબ અનુકૂળતા રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!