Saturday, June 21, 2025
HomeGujaratમોરબીમાં સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ વૈદિક પેરેંટિંગ તથા બાલ સ્વાસ્થ્ય સેમિનારનું આયોજન

મોરબીમાં સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ વૈદિક પેરેંટિંગ તથા બાલ સ્વાસ્થ્ય સેમિનારનું આયોજન

મોરબીમાં મધુરમ ફાઉન્ડેશન, ભારત વિકાસ પરિષદ, સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ તેમજ સક્ષમ સંસ્થાના ઉપક્રમે રવિવારે વૈદિક પેરેંટિંગ તથા બાલ સ્વાસ્થ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના શનાળા રોડ, માર્કેટ યાર્ડ સામે, ગુ.હા.બોર્ડ, બ્લોક નં M1158/59, ગાયત્રી ચેતના કેન્દ્ર સાંજે 5 થી 7 રાખવામાં આવ્યું છે. જેમાં વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તેમ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ ના પૂજ્ય વિશ્વનાથ ગુરુજીના શિષ્ય તેમજ વિદ્વાન વૈધ આચાર્ય મેહુલભાઈ એ જણાવ્યું હતું કે વૈદિક પેરેંટિંગ આજે બાળકોની સમસ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. ત્યારે બાળકો તરફ ધ્યાન આપવાની ખાસ જરૂર છે. પરંતુ ધ્યાન આપવા માટે જ્ઞાનની જરૂર છે. અને આજે સાચું જ્ઞાન મેળવવું અતિશય કઠિન બનતું જાય છે. ત્યારે સંસ્કૃતિ આર્યમ ગુરુકુલના સક્ષમ સંસ્થાના ઉપક્રમે તા. ૨૨ને રવિવાર, સમય સાંજે ૫ થી ૭ ગાયત્રી ચેતના કેન્દ્ર ગુહા.બોર્ડ, બ્લોક નં M158/59, શનાળા રોડ, માર્કેટ યાર્ડ સામે, મોરબી ખાતે સેમિનાર રાખવામાં આવ્યો છે. જેને લઇને આચાર્ય મેહુલભાઈ વધુમાં જણાવ્યું હતું કે વારાણસીના સુપ્રસિદ્ધ વેદ તથા આયુર્વેદના વિદ્વાન પરમ પૂજ્ય વિશ્વનાથ ગુરુજી દ્વારા વર્ષોના અધ્યયન તેમજ રિયર્સ બાદ ૫૦ વર્ષ પહેલાં સંસ્કૃત ભાષામાં લખાયેલા વૈદિક પેરેટિંગ અને બાલ સ્વાસ્થ્યના સૂત્રો માર્ગ ચિંધતી મશાલ છે. આજે બાળકોના સ્વાસ્થ્ય, ખાન-પાન તેમજ સંસ્કારો આપવાની વ્યવસ્થાને યુવા પેઢી ભૂલતી જાય છે. ત્યારે ભારતના આયુર્વેદમાં, ઉપનિષદોમાં, વેદોમાં તથા ગ્રંથોમાં સચવાયેલા સૂત્રો જ આપણું રક્ષાકવચ બની શકે છે. તેવા નાના સૂત્રો દ્વારા અપાતું જ્ઞાન સરળ સહજ છે. તેમજ બાલસ્વાસ્થ્ય અને પેરેટિંગ માટે ખૂબ જ ઉપયોગી છે. જેવા સૂત્રો પર પૂજ્ય વિશ્વનાથ ગુરુજીના શિષ્ય તેમજ વિદ્વાન વૈધ આચાર્ય મેહુલભાઈ પોતાની ૨૦ વર્ષના આયુર્વેદ અને ગર્ભવિજ્ઞાનના અનુભવને આધારે નિ:સ્વાર્થ ભાવે આ સૂત્રો તેમજ સ્વાસ્થ્યનું જ્ઞાન સમાજ સુધી પહોંચાડવા કટીબધ્ધ છે. વૈધ મેહુલભાઈ આચાર્યએ પૂજ્ય ગુરુજીના સાન્નિધ્યમાં રહી દશ વર્ષ સુધી ગર્ભસંસ્કાર તેમજ બાળકોની આયુર્વેદ ચિકિત્સાનો અનુભવ પ્રાપ્ત કર્યો છે. તેમજ ગુરુજીના સૂત્રો પર વ્યાખ્યા કરી ભારતનો સૌપ્રથમ ગર્ભવિજ્ઞાન તેમજ પેરેટિંગનો ડિજિટલ કોર્સ તૈયાર કર્યો છે, તેમજ મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પાંચ લાખ બાળકો સુધી પહોંચાયું છે. જે કાર્યક્રમમાં બાળકોને રોગોથી બચાવવા માટેના ઉપાયો, પેરેન્ટ્સ તરીકે બાળકોનું ઘડતર કરવાના તથા ધ્યાન રાખવા માટેના ઉપાયો, બાળકો-યુવા પેઢી સાથે આદર્શ વર્તનનું મનોવિજ્ઞાન, મનોવિજ્ઞાનના સિદ્ધાંતો, બાળકોના માનસને સાત્વિક બનાવવાના ઉપાયો વગેરે વિષયોની આ સેમિનારમાં ચર્ચા કરવામાં આવશે. જે સેમિનાર મુંબઇ, પૂના, અમદાવાદ, બેંગલોર જેવા શહેરોમાં પણ આયોજિત થાય છે. તે ઉપરાંત આયુર્વેદ અને પંચકોશ વિકાસ, આયુર્વેદના બાલ મનોવિજ્ઞાનનું મહત્વ, આયુર્વેદમાં બાળકોનાં સ્વાસ્થ્ય માટેના નિયમો, આયુર્વેદની દ્રષ્ટિયો બાળકો માટેના ઔષધો; આયુર્વેદમાં બાળકોની દિનચયાં (Ideal Daily Routine), બાળકોની યાદશક્તિ વધારવા, કુટેવોથી બચાવવાના ઉપાયો જેવા અનેક વિષયો ઉપર ચર્ચાઓ કરવામાં આવશે. મોરબીમાં આ પ્રકારના કાર્યક્રમો ખૂબ ઓછા થતાં હોવાથી પોતાના બાળકોનો વિકાસ તેમજ સંસ્કાર માટે ચિંતિત સર્વે માતા-પિતાઓને આ કાર્યક્રમમાં આવવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. જેના લિમિટેડ સંખ્યા હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન આ નંબર પર ( ૯૬૬૪૯ ૧૧૧૮૨, ૮૦૪૦૧ ૪૦૦૧૪ ) પર રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. જે સેમિનારમાં ભાગ લેનાર માટે નિઃશુલ્ક પ્રસાદ રાખવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!