મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં સરસ્વતી મંદિર સરસ્વતી માતાજીનું મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાના પ્રાર્થના હોલમાં સરસ્વતી માતાનું મંદિર બનાવાવમાં આવ્યું છે. જેમાં ત્રણ ફૂટની માતાજીની મૂર્તિનું સ્થાપન કરી પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી.
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા અનેકવિધ અવનવી પ્રવૃત્તિઓ માટે જાણીતી છે. ત્યારે નવા શૈક્ષણિક વર્ષથી શાળામાં પ્રાર્થના હોલ કમ મધ્યાહ્નન ભોજન માટેનું ભોજનાલય આવેલુ છે. એમાં સુંદર મજાના મંદિરનું નિર્માણ કરી સુંદર મજાની સરસ્વતીજીની ત્રણ ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરી શાસ્ત્રી કેતન જોષી દ્વારા વૈદિક વિધિથી શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરીને શાળા એટલે સરસ્વતીનું મંદિરમાં સરસ્વતીજીનું મૂર્તિનું સ્થાપન કરી હમારા વિદ્યાલય હમારા તીર્થની સંકલ્પના સાકારીત કરવામાં આવી છે.
મંદિરમાં બાલ વાટીકાથી ધો ૮ ની બાળાઓની ઉપસ્થિતમાં સરસ્વતીજીની આરતી ઉતારવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા સંપન થયા બાદ બાળાઓને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મંદિર નિર્માણમાં શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાની દિકરી ડો.હિતાર્થીબેન દિપકુમાર ત્રાંબડીયાને ભુવનેશ્વર ઓરિસ્સા ખાતે સમ હોસ્પિટલમાં સર્વિસ મળતા પ્રથમ પગારમાંથી આર્થિક યોગદાન પૂરું પાડવામાં આવ્યું હતું. આ મંદિર નિર્માણ કરવામાં મૂર્તિ લઈ આવવી મૂર્તિને વિધિવત રીતે પ્રસ્થાપિત કરવામાં શાળા મધ્યાહ્નન ભોજન સંચાલક હર્ષદભાઈ ઉંટવાડિયાએ ખુબજ જહેમત ઉઠાવી હતી.